Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૨
રહ્યો છે છે.
-
www.kobatirth.org
એમ આ પ્રશ્નને આર્તિત કરતા જઈ સાકાર તરસરૂપ રાધાની પ્રેમસત્તાને ઉચિતરૂપે વહેતી મૂકી
દલિત નિબંધમાં કથનાત્મક શૈલીનો વિલક્ષણ વિનિયોગ કરીને પત્રરૂપે ઈશ્વરને આહવાન આપતા તેઓ જણાવે છે : આવ, મારી સાથે ભેંસ, પેલા વાથા ઉતારી દે. મિત્ર બની રહે. મારી શરતે અને મારી રીતભાતે ચાલ લોકો વચ્ચે ફરીએ-' અથવા 'તું દેવ તો કે દુખ એ ય હું ભુલી જવા તૈયાર છું. અહીં આવ અને અનુસર તું મને ..' કાકુનાં આવર્તનો અને ગદ્યની છટા આ કૃતિનાં મહત્વનાં ગુણો છે. વ્યક્તિત્વની પારદર્શિતા અને ખુમારી પણ સ્પર્શક્ષમ બની રહે છે. 'નાચીએ દિનરાત'માં વનની દુઃસહ વિષમતા અને સ્થૂળતા સામેનો આક્રોશ આયુરનીના સ્વરૂપે ઠલવાયો છે. અહીં સંવેદનો સંકુલ છે એથી ય વધુ સંકુલ છે એનું ગહોત. તમે આયુરની, અમે ૨ આયુરની' એમ આપણી સમક્ષ ઉપસ્થિત થઈને સોંસરવું કહેનાર નિબંધકારની વિશિષ્ટ વ્યક્તિમુદ્રા અંકિત થાય છે. ‘ઉત્ખનન .. ઉત્ખનન સમૂળ બધું ખોદાઈ રહો !' વિવિધ સ્તરે પ્રસરેલ કૃતકતાથી મુક્તિ મેળવવા માટેની મથામણ અહીં વ્યક્ત થઈ છે. સંનિધિ દ્વારા કૃતિને નવો અર્થ પ્રાસ થાય છે. એની આંતરિક સંરચનાને તપાસતાં એ તરત સમજાશે. ‘રસ્તાઓ' ઉપરનો નિબંધ એમાંના અનવદ્ય ક્લ્પના અને ગતિશીલ વાકયાવલિઓ રસ્તાની સ્ફૂર્તિલી image રચે છે. જે આપણને સમગ્ર ગુજરાતી લલિત નિબંધો સાથેની તલનાનો સતત તકાજો કરે છે, અને આવી રચનાઓના સ્વતંત્ર-તલસ્પર્શી અભ્યાસ માટે પ્રેરે છે. ઉપરાંત ‘લૉગિંગ-બિલોગિંગ' / ‘રેઈનીંગ-રેગીંગ'ની સંનિધિયોજના અને એનું સામર્થ્ય, ‘અજવાળું-શમણું’નું મેટાફ૨, ‘શબ્દ ફટ ફાટો ...' નો બલિષ્ઠ આક્રીશ, 'ઘર'નું શબ્દશિલ્પ, જળની અપરંપાર લીલાઓ સર્જકની સાર્વોસાય ભાવકચેતાનાને પણ વ્યાપક ફલક ઉપર મૂકીને આંદોલિત કરવાની ક્ષમતા ધરાવતી કૃતિઓ છે. પાટણ અને લોથલ આદિ સ્થળસંદર્ભે લખાયેલ નિબંધોમાં સ્થળની સ્થૂળતા ઓસરતી જાય છે અને સર્જકની સૌંદર્ય સિક્ત વ્યક્તિતા એ સ્થળવિશેષની પ્રાચીનતા અને ભવ્યતાનું જાણે એક સંવેદનપટુ વ્યક્તિવિશેષમાં અકૃત્રિમ રૂપાંતર કરી નાખે છે, સહ્રદય ભાવકના સહપાન્ય બનીને ! ગુજરાતી પ્રવાસ નિબંધોમાં આ કૃતિઓનો અવશ્ય વિશેષ દરજ્જો હશે.
..
હું તમને વરસાદ આપું છું.
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીતા ભગત
આ ઉપરાંત અન્ય કૃતિઓ પણ એટલી જ ભાવસંતર્પક બની છે એમની સર્જકચેતનાથી અનુપ્રાણિત બનેલ ભાષાસંવિધાન દ્વારા. શબ્દના અંગોંગમાંથી ઝરતા અર્ક જેવી આ ગદ્યશૈલીનો આ રહ્યો અલપઝલપ પરિચય :
જોતજોતામાં તો કોઈ ચપળ કન્યાના હાથમાં રહેલી સોધમાં પરોવાઈ જાય છે એક લીલેરો દોરો અને ઘડીભરમાં તો ઊપસી આવે છે લીલી લીલી ભાત ! અને ત્યાં તારા સ્પર્શે ઊઘડવા માંડે છે પાંદડીઓ, લો સાથે એ જોનારની આંખમાં રહેલું વિસ્મય' [પૃ. ૪૪]
‘એવું ઘર માણસને ઘાસપત્તી પર વળુંભી રહેલ વાયુલહર જેવો અનુભવ કરાવે છે.' [પૃ. ૬૫] ક્યારેક એ રૂણસ વેલી જેવી લાગે છે, કયારેક એ છલછલ પાણી જેવી ...' [પૃ. ૧૧]
‘અરે, આ પહાડની ટોચ એટલે મોર, અરે, આ ઊંડી ખીણ એટલે મોર, અરે, આ મેશરી નદીનો કાંઠો એટલે મોર, અરે, આ ફરફર ફેલાયેલું પ્રાતઃ એટલે મોર ..' [પૃ.
૪]
બોલો, ખુશ ને ?' [પૃ. ૨૪]
હા, હું તમને વરસાદ આપું છું
For Private and Personal Use Only