Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પાનિયનરમ્ : એક દષ્ટિક્ષેપ
આર. પી. મહેતા*
જ્યોતિર્મઠ (ચમોલી, ઉત્તરપ્રદેશ)માં આવેલા પ્રા. શ્રી બદરીનાથ વેદવેદાંગ મહાવિદ્યાલયના પ્રધાન આચાર્ય, વ્યાકરણ-સાહિત્યાચાર્ય, પંડિતરાજ ગોપાલશાસ્ત્રી દર્શનકેસરીએ આ “પાણિનીય-નાટકમ્” ની રચના કરી છે. આ પ્રકારનો વિષય ધરાવતું પરંતુ કદમાં આનાથી નાનું ‘ નિપ્રતિનાટ* આ લેખકનું જ નાટક છે. આ લેખકે આ ઉપરાંત નાના/નાટમ્ અને “જેમrદમનનાટ#-ની રચના કરી છે. શાસ્ત્રીજી બિહારના શ્રી ક્ષેમધરિ અને કૌશલ્યાનાં સંતાન છે.
મહાવિદ્યાલયના વાર્ષિકોત્સવ પ્રસંગે “પાણિનીય-નાટકમુ”ની અભિનયાત્મક રજૂઆત થઈ હતી. અધ્યાપકોએ તેમાં અભિનય આપ્યો હતો. એ વખતના ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. સંપૂર્ણાન ત્યારે હાજર હતા. એમણે પ્રશંસા કરી હતી. શ્રી બ્રહ્મદત્ત જિજ્ઞાસુ, શ્રી ગૌરીનાથ પાઠક અને શ્રી અનંતરામ શાસ્ત્રી ફડકેએ આમાં સહાય કરી હતી.
| નાટક હસ્તપ્રત અવસ્થામાં હતું ત્યારે ડૉ. વાસુદેવશરણ અગ્રવાલે કથાવસ્તુની ઇતિહાસમાન્યતા તપાસી આપી હતી. એમના સૂચનથી અને આપેલી સામગ્રીથી લેખકે ભોજસભાનું દશ્ય ઉમેરેલું છે. નાટકને લેખકે નિયત્મિ પણિની પ્રશસ્તિ કહી છે. લેખકે નાટક માટે ચાર વિશેષણો આપ્યાં છે - સાક્ષચ્છિક્ષાપ્રમ્, તિપ્રશસ્તમ્ , બંદૂપયોfT , સન્તવાસિયોur૬. બ્રિટીશ શાસન સામેની અસહકાર ચળવળ વખતે કારાવાસ દરમિયાન લેખકે આની રચના કરી છે.
નાટકમાં દશ્યવિભાજન છે. નવ દશ્યો છે. પ્રત્યેક દશ્યને અંતે શીર્ષક આપેલાં છે. તે આ રીતે – (૧) प्रस्तावना (२) पाणिनिपुरस्कार प्राप्ति (3) कात्यायनपरिचयः (४) पातञ्जलपुरस्कार (५) शालातुरीयग्रामसभादृश्य (૬) (શીર્ષક નથી.) (૭) મોનરેનસમાતૃશ્ય (૮) પાઠશાસ્ત્રીયતિતિવિર૮રીનાન(૯) ભારતમાતૃ-શ્યમ્
(૧) નાન્દીપાઠમાં ભારતીય ગુરુત્વની સ્તુતિ છે અને પછી મહર્ષિત્રયને નમસ્કાર છે. સૂત્રધાર નાટકની માહિતી આપે છે. તે મારિને બોલાવે છે. પરંતુ તે પ્રવેશીને પોતાના વિલંબનું કારણ સૂત્રધારને જણાવે છે કે આજે સ્વાતંત્ર્યદિને રસ્તામાં બાળકો પ્રભાતફેરીમાં નિકળ્યા છે, તે જોવામાં વાર લાગી છે. સૂત્રધાર તેઓને બોલાવીને તેમની પાસે ધ્વજગાન કરાવે છે. એ વખતે ત પાન વગેરે શબ્દો સંભળાય છે. સૂત્રધાર તેમને આની તપાસ કરવા મોકલે છે.
(૨) શુદ્ધવિષ્ક્રમાંકમાં મહાનંદના પરિષસ્થવિરનો ગ્રામોધ્યક્ષ સાથેનો માર્ગ ઉપરનો સંવાદ છે. સ્થવિર
સ્વાધ્યાય’, પુ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૭૯-૮૨.
૭૭૮-૧, ‘શિવાંજલિ', મધુરમ્ ફલેટ, સેકટર-૨૧, ગાંધીનગર - ૩૮૨ ૦૨૧. गोपालशास्त्री (पं.) दर्शनकेसरी-पाणिनीयनाटकम्, चौखम्बा विद्याभवन, वाराणसी१, १९६४, प्रथम संस्करण આધારસ્થાન. चौखम्बासिरीज साहित्य-सूचीपत्र १००, क्रमांक २००३, चौखम्बा संस्कृत सिरीज आफिस, वाराणसी, १९९२;
પૃ. ૨૦. 3. गोपालशास्त्री (पं) दर्शनकेसरी-नारीजागरणनाटकम्, चौखम्बा प्रकाशन, वाराणसी, १९६६ प्रथम संस्करण,
-गोमहिमाभिनयनाटकम्, चौखम्बा प्रकाशन, वाराणसी, १९७५, प्रथम संस्करण.
For Private and Personal Use Only