Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાણિનીય તન્ત્રમાં આગમવિધાન
વસન્તકુમાર મ. ભટ્ટ*
ભૂમિકા :
પાણિનીય તત્રમાં પ્રકૃતિ + પ્રત્યયના સંયોજનથી વિવિધ રૂપોની સાધનિક વર્ણવવામાં આવી છે. આવી રૂપસાધનિકામાં પ્રકૃતિ અને પ્રત્યયના અમુક અમુક વર્ષોમાં જુદાં જુદાં ધ્વનિપરિવર્તનો કે અમુક વર્ષોનો લોપ કરવો પડે છે. તથા આખી પ્રકૃતિ કે પ્રત્યયના સ્થાનમાં નવા જ શબ્દો/ધ્વનિઓને આદેશ રૂપે પ્રવૃત્ત કરવા પડે છે. એ જ પ્રમાણે, કયારેક અમુક નવા વર્ણોનો ઉમેરો “આગ” પણ કરવો પડે છે. (દા. ત. રામ + + ના સંયોજન દરમ્યાન એક આગમ કરીને ૨૫ + ૬ મા – રામ + ૧ + મામ્ સમ + નાન – રામ + નામ્ - પછી રેફોત્તરવર્તી ન કારને પાત્ર વિધિ થતાં – રામ + નામ - રામામ્ | એવા રૂપને સિદ્ધ કરવામાં આવે છે. અહીં આમ્ પ્રત્યાયની પૂર્વે એક નવો ૨ વર્ણ આગમ રૂપે ઉમેર્યો છે.) આવા આગમોને પ્રકૃતિના કે પ્રત્યયના પૂર્વમાં ઉમેરવા કે પરમાં ઉમેરવા ? એ વિષે સૂચનાઓ તો સૂત્રકાર પાણિનિએ પોતે જ આપી છે. જેમકે માધનની વતી ! ૧-૨-૪૬ "fટત ( ટુ કારેત્મજ્ઞક) આગમ અને વિત્ ( કારત્મજ્ઞક) આગમ જેને લગાડવાના કહ્યા છે, તેને તે અનુક્રમે આદિમાં અને અત્તમાં લાગે છે” વગેરે.
પરંતુ પાણિજ્યુત્તર કાળમાં અનુગામી વૈયાકરણોએ એક ચર્ચા હાથ ધરી છે કે રૂપસિદ્ધિ દરમ્યાન આ જે આગમવિધાન કરવામાં આવે છે, તે આગમનું સ્વરૂપ કેવું ગણવું ? એટલે કે પ્રકૃતિ અને પ્રત્યયની આગળ કે પાછળ નવો ઉમેરવામાં આવતો આ આગમ (૧) શું આગમીભૂત પ્રકૃતિનો કે આગમીભૂત પ્રત્યયનો અવયવ ગણવો કે નહીં ? (૨) આગમ જો આગમીનો ( = જેને તે લગાડવામાં આવે તે પ્રકૃતિ કે પ્રત્યયનો) અવયવ બની જતો હોય તો તેમાં શું પ્રમાણ છે ? (૩) વળી, આવી માન્યતાને આધારે સમગ્ર શાસ્ત્રમાં વ્યવહાર કરવો કે આંશિક રૂપે, કે આવશ્યકતા હોય ત્યાં જ તેને સ્વીકારવી ? (૪) તથા, આ સન્દર્ભમાં પાણિનિએ પોતે કોઈ સૂત્રમાં ગર્ભિત રીતે કશું સૂચવ્યું છે? અથવા તો, આ વિશે જાણકાર પતંજલિનો અભિગમ કેવો છે? અને છેલ્લે, (૫) વ્યાકરણતત્રંમાં રૂપસિદ્ધિ દરમ્યાન આગમવિધાનની આ પ્રવૃત્તિ વૈયાકરણોને માટે સ્વીકૃત એવા શબ્દનિત્યત્વના સિદ્ધાન્તની વિરૂદ્ધ જાય છે એનું શું સમાધાન કરવું ? તે ચર્ચાના પ્રમુખ મુદ્દાઓ છે. નાગેશ ભટ્ટે આગમ-વિષયક એક પરિભાષા વચન ય/H1tTળભૂત સ્ત૬ળે વૃદ્ધને 1 રજૂ કરીને, તેના ઉપર જે ઊહાપોહ કર્યો છે તે પ્રસ્તુત લેખનો વિષય છે.
પરિભાષાની અવતરણિકા (શકા) :
સૂત્રકારે ટાધાપ્તતાપૂ. ૧-૧-૨૦ સૂત્રથી રાષ્ટ્ર ભિન્ન (કેવળ) રા રૂપ અને ઘા રૂપ ધાતુઓની ‘
સ્વાધ્યાય', પૃ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૯-૧૭, * સંસ્કૃત વિભાગ, ગુજ. યુનિ., અમદાવાદ,
अभ्यंकर के. वी., परिभाषेन्दुशेखरः । (परिभाषाक्रमाङ्क - ११), भाण्डारकर ओरिएन्टल रिसर्च इन्स्टीट्युट् પૂણે, ૨૨૬૨, પૃ. ૨૮-૨૮,
For Private and Personal Use Only