________________
જ્ઞાનાવરણીય અને અંતરાયની ઉત્તરપ્રકૃતિનો સંવેધઃ
જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મમાં ૧ થી ૧૦ ગુણઠાણા સુધી ૫ કર્મપ્રકૃતિનો બંધ, ૫ પ્રકૃતિનો ઉદય, ૫ પ્રકૃતિની સત્તા હોય છે તે પહેલો ભાંગો છે. તેનો કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત અને ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત છે.
* ૧૧મા-૧૨મા ગુણઠાણે અબંધ, ૫ પ્રકૃતિનો ઉદય, પ પ્રકૃતિની સત્તા હોય છે. એ બીજો ભાંગો છે, તેનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. કારણ કે જે જીવ ૧૧મા ગુણઠાણે એક જ સમય રહીને, આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામીને, બીજા સમયે દેવભવમાં ઉત્પન્ન થાય છે તે જ સમયે જ્ઞાના૦૫ -અંત૦૫ બંધાય છે. એટલે તે જીવને ૧૧મા ગુણઠાણે એક જ સમય અબંધ, પાંચનો ઉદય અને પાંચની સત્તા હોય છે. એટલે બીજા ભાંગાનો કાળ જઘન્યથી ૧ સમય કહ્યો છે. તથા ૧૧મા૧૨મા ગુણઠાણાનો કાળ અંતર્મુહૂર્ત જ છે. એટલે અબંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધી જ હોવાથી બીજા ભાંગાનો કાળ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કહ્યો છે. -: જ્ઞાનાવરણીય અને અંતરાયનો સંવૈધ :
ભાંગાનો ક્રમ | બંધ | ઉદય | સત્તા
૧
૫ ૫ ૫
કાળ
અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત ૧૧મા ગુણઠાણેથી પડેલાને સાદિ-સાંત જઘન્યથી ૧ સમય-ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત
૨
O
૫
: જીવસ્થાનકમાં જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મનો સંવેધ :
ભાંગાનં. ૧) ભાંગાનં.
કુલ
૫
જીવસ્થાનક
૧ થી ૧૩ જીવભેદ
સંજ્ઞી પર્યાપ્તો
૫૧૫૫
૫|૫|૫
(૩) સપ્તતિકા ગ્રંથમાં ગાથા નં. ૩૬ જુઓ.
૩૪
૦૫૭૫
૧
૨