________________
બાંધે છે ત્યારે દેવપ્રાયોગ્ય-૨૮ + આહારકદ્ધિક = ૩૦ પ્રકૃતિને બાંધે છે અને જિનનામ સહિત આહારકદ્ધિકને બાંધે છે ત્યારે ૨૮ + આહારકકિ + જિનનામ = ૩૧ પ્રકૃતિને બાંધે છે. એટલે એક જીવ એકીસાથે દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધી શકે છે તેથી દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) બંધસ્થાન છે.
* ૮મા ગુણઠાણાના ૬ઠ્ઠા ભાગે દેવગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થયા પછી કોઈપણ ગતિપ્રાયોગ્યબંધ થતો નથી. એટલે ૮મા ગુણઠાણાના ૭મા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી અપ્રાયોગ્ય એક જ યશનામકર્મ બંધાય છે. એટલે એક જીવ એકીસાથે ૨૩/૨૫/૨૬/૨૮/ ૨૯/૩૦/૩૧/૧ પ્રકૃતિને બાંધી શકે છે તેથી નામકર્મના ૨૩/૨૫/૨૬/ ૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૮) બંધસ્થાન છે.
સામાન્યનિયમોઃ
(૧) પર્યાપ્તાની સાથે જ પરાઘાત-ઉચ્છ્વાસ બંધાય છે.
(૨) અપર્યાપ્તાની સાથે અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ જ બંધાય છે.
(૩) તિર્યંચગતિની સાથે જ ઉદ્યોત બંધાય છે.
(૪) બાદરપર્યાપ્ત પૃથ્વીકાયની સાથે જ આતપ બંધાય છે.
– (૫) સૂક્ષ્મત્રિકની સાથે યશ-આતપ-ઉદ્યોત બંધાતું નથી. (૬) દેવગતિ-નરકગતિની સાથે અપર્યાપ્ત બંધાતું નથી.
(૭) દેવગતિની સાથે સમચતુરસ્રસંસ્થાન અને નરકગતિની સાથે હુંડક સંસ્થાન જ બંધાય છે.
(૮) એકેન્દ્રિયોને અંગોપાંગ અને સંઘયણ હોતું નથી. તેથી એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધની સાથે અંગોપાંગ અને સંઘયણ બંધાતું નથી. (૯) અપર્યાપ્તપ્રાયોગ્ય અને નરકગતિની સાથે પરાવર્તમાન અશુભ જ પ્રકૃતિ બંધાય છે.
(૧૦) દેવગતિની સાથે સુભગત્રિક અને શુભવિહાયોગતિ જ બંધાય છે.
૨૧૫