Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 270
________________ ઉદયસ્થાન હોય છે. સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો તપશ્ચર્યાદિ ગુણોના કારણે વૈક્રિયલબ્ધિને પ્રાપ્ત કરી શકે છે અને વૈક્રિયલબ્ધિવાળા તિર્યંચ-મનુષ્યો પર્યાપ્તાવસ્થામાં જ વૈક્રિયશરીર બનાવે છે. એટલે વિગ્રહગતિમાં ઉત્તરવૈ૦શરીર હોતું નથી. તેથી ઉત્તરવૈ૦શરીરીને ૨૧નું ઉદયસ્થાન ઘટતું નથી અને ઉત્તરવૈ૦શરીરમાં સંઘયણ હોતું નથી. એટલે સામાન્ય તિર્યંચપંચેન્દ્રિયના-૨૬/૨૮/૨૯૩૦/ ૩૧ના ઉદયસ્થાનમાંથી સંઘયણ બાદ કરતાં ૨૫/૨૭/૨૮/ર૯/૩૦ (કુલ૫) ઉદયસ્થાનકો વૈક્રિયતિર્યચપંચેન્દ્રિયને હોય છે. મનુષ્યને ઉદયમાં આવતી પ્રકૃતિ * વિગ્રહગતિમાં મનુષ્યને ધ્રુવોદયી-૧૨, મનુષ્યદ્રિક, પંચે૦ જાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત-અપર્યાપ્તમાંથી-૧, સુભગ-દુર્ભગમાંથી-૧, આદેય-અનાદેયમાંથી-૧, યશ-અશમાંથી-૧. કુલ-૨૧ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે. * મનુષ્ય ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે ૨૧માંથી આનુપૂર્વી વિના ૨૦ + ઔદારિકદ્ધિક + ૬ સંઘયણમાંથી-૧, ૬ સંસ્થાનમાંથી૧, ઉપઘાત + પ્રત્યેક કુલ-ર૬ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે. * શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી મનુષ્યને ૨૬ + પરાઘાત + શુભ-અશુભ વિહાયોગતિમાંથી-૧ = ૨૮ પ્રકૃતિ ઉદયમાં આવે છે. * શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી મનુષ્યને ૨૮ + ઉચ્છવાસ = ૨૯ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે. ભાષા પર્યાપ્તિ પૂર્ણ થયા પછી મનુષ્યને સ્વરનો ઉદય શરૂ થાય છે. ત્યારે ૨૯ + સુસ્વર-દુઃસ્વરમાંથી-૧ = ૩૦ પ્રકૃતિ એકસાથે ઉદયમાં આવે છે. એટલે સામાન્ય મનુષ્યને ૨૧/ર૬/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાનક હોય છે. વૈક્રિયતિર્યચપંચેઠની જેમ વૈક્રિયમનુષ્યને-૨૫/૦૭/૨૮/૨૯/૩૦ ૨૬૧

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306