Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 214
________________ ગુણઠાણામાં ઉપયોગ - ૧ થી ૩ ગુણઠાણામાં ૩ અજ્ઞાન અને ચક્ષુ-અચક્ષુદર્શન (કુલ૫) ઉપયોગ હોય છે. ૪થા/પમાં ગુણઠાણે ૩ જ્ઞાન અને ચક્ષુ-અચક્ષુઅવધિદર્શન (કુલ-૬) ઉપયોગ હોય છે. ૬ થી ૧૦ ગુણઠાણે ૪ જ્ઞાન અને ૩ દર્શન (કુલ-૭) ઉપયોગ હોય છે. ઉપયોગની અપેક્ષાએ ગુણઠાણામાં ઉદયભાંગાઃ * મિથ્યાત્વગુણઠાણે-૫ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગે ૮ ચોવીશી થાય છે. એટલે ૫ ઉપયોગ ૪ ૮ ચોવીશી = ૪૦ ચોવીશી થાય છે. ૪૦ ચોવીશી x ૨૪ ઉદયભાંગા = ૯૬૦ ઉદયભાંગા થાય છે. * સાસ્વાદનગુણઠાણે-૫ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગ ૪ ચોવીશી થાય છે. એટલે ૫ ઉપયોગ x ૪ ચોવીશી = ૨૦ ચોવીશી થાય છે. ૨૦ ચોવીશી x ૨૪ ઉદયભાંગા = ૪૮૦ ઉદયભાંગા થાય છે. * મિશ્રગુણઠાણે સાસ્વાદનની જેમ ૪૮૦ ઉદયભાંગા થાય છે. * સમ્યકત્વગુણઠાણે-૬ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગે ૮ ચોવીશી થાય છે. એટલે ૬ ઉપયોગ X ૮ ચોવીશી = ૪૮ ચોવીશી થાય છે. ૪૮ ચોવીશી x ૨૪ ઉદયભાંગા = ૧૧૫ર ઉદયભાંગા થાય છે. એ જ રીતે, દેશવિરતિગુણઠાણે પણ ૧૧૫ર ઉદયભાંગા થાય છે. * પ્રમત્તગુણઠાણે-૭ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગે ૮ ચોવીશી થાય છે. એટલે ૭ ઉપયોગ X ૮ ચોવીશી = ૫૬ ચોવીશી થાય છે. પ૬ ચોવીશી x ૨૪ ઉદયભાંગા = ૧૩૪૪ ઉદયભાંગા થાય છે. એ જ રીતે, અપ્રમત્તગુણઠાણે પણ ૧૩૪૪ ઉદયભાંગા થાય છે. (૪૧) સિદ્ધાંતના મતે મિશ્રદૃષ્ટિને ૩ અજ્ઞાન અને ૩ દર્શન (કુલ-૬) ઉપયોગ હોય છે તેથી મતાંતરે ૬ ઉપયોગ x ૪ ચોવીશી = ૨૪ ચોવીશી થાય છે અને ૨૪ ચોવીશી x ૨૪ ઉદયભાંગા = ૫૭૬ ઉદયભાંગા થાય છે. અથવા અવધિદર્શનોપયોગ-૧ ૪ ૪ ચોવીશી x ૨૪ ભાંગા = ૯૬ ઉદય ભાંગા વધુ થાય છે. એટલે મતાંતરે કુલ ૪૮૦ + ૯૬ = ૫૭૬ ઉદયભાંગા થાય છે. ૨૦૫

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306