________________
(૧૩૫ )
: ૧૬ ઃ
કેશી મુનિ અને કેશી ગણધર
પ્રા. ભા.માં કેશી મુનિ સબધી ઉલ્લેખ છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ગણધર તરીકે કેશી નામ ગણાવ્યું છે; અને સાથે સાથે એમ પણ લખ્યુ છે કે કેશી મુનિ અને કેશી ગણધર બન્ને જુદી વ્યક્તિઓ છે. વાસ્તવમાં પુસ્તકામાં એવી હકીકત કયાંય મળતી નથી છતાં ‘ પ્રાચીન ભારતવષ ” માં તે કયાંથી મેળવી હશે તે વિચારણીય છે. તેમાં તા લખ્યુ` છે કેઃ—
“ ખરી વાત છે કે શ્રી પાને....કેશિ નામે ગણધર હતા....કેશી મુનિ પણ જુદા અને શ્રી પાર્શ્વનાથના કેશી ગણધર પણ જુદા જ સમજવા.
77
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૮૦ શ્રી પાર્શ્વનાથને કેશી ગણધર હતા કે કેમ તે એક જ મુદ્દો પ્રથમ વિચારીએ.
ભગવાન પાર્શ્વનાથને મૂળે દસ ગણધરો હતા, તેમાંથી આઠ ગણધરનાં નામેા શાસ્ત્રામાં ઉપલબ્ધ થાય છે. એ ગણધરોનાં નામ તેમનાં અલ્પાયુષને કારણે સૂત્રામાં ઉપલબ્ધ નથી થતાં. ઉપલબ્ધ આઠ નામે આ પ્રમાણે છેઃ
શુભ, આ ઘાષ, વસિષ્ઠ, બ્રહ્મચારી, સેામ, શ્રીધર, વીરભદ્ર અને યશસ્વી, શ્રી પાર્શ્વનાથના ગણધરની હકીકત બતાવતા પા। શાસ્ત્રોમાં નીચે પ્રમાણે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com