Book Title: Prachin Bharat Varshnu Sinhavlokan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 276
________________ (૨૪૦) કોતરી જ ન શકાય, અને આ એક જ કારણથી ખડકેના લેખમાં વચ્ચે વચ્ચે ખાલી જગ્યા છોડવામાં આવે છે. આ હકીક્ત ખડક લેખકને અભ્યાસી સારી રીતે જાણી શકે એમ છે, પણ આપણા ડોકટરસાહેબને ઇતિહાસજ્ઞાનને સ્પર્શ પણ નથી એટલે તેઓ એ ખાલી જગ્યા જોઈ કઈ પણ ઈતિહાસમાં નવું નામ ઉમેરવા લલચાય જ ને? પણ ઇતિહાસમાં નવું નામ ઉમેરવા જતાં કેટલી વીસે સે થાય છે એની તેમને ખબર જ નથી! લખાણ બહુ લાંબું થયું છે, હવે તે તેને ટુંકાવવા જ ધારું છું. છેક છેલ્લે આપણું ડેકટરસાહેબની એક તદ્દન નવી જ શોધ વિશે જણાવી વાચકોને કંટાળે છે કરીશ. ડેકટરસાહેબ જણાવે છે કેઃ “અત્યાર સુધી જેન પ્રજામાં એમ માનવામાં આવે છે કે શ્રી મહાવીરનું નિર્વાણ સ્થાનમેક્ષકલ્યાણક–બંગાળ ઈલાકામાં આવેલ પાવાપુરી છે. જો કે તે માટે કઈ ઐતિહાસિક પુરા કઈ તરફથી રજૂ કરતે નથી જ ”-(પ્રાચીન ભારતવર્ષ, પૃ. ૩૭૧). ઉક્ત લખાણ ઉપર ટિપ્પણ કરતાં ડોકટરમહાશય જણાવે છે કે: “ આ તીર્થ માટે શ્વેતામ્બર દિગમ્બર બને તે મંદિર પિતાની માલિકીનું છે, એમ સાબિત કરવા કેટે ચડી, લાખ રૂપિયાની ધૂળધાણી કરી નાંખી છે, પણ ખરી રીતે તે જગ્યા મોક્ષકલ્યાણકની ભૂમિ જ નથી.”—(પ્રાચીન ભારતવર્ષ, પૃ. ૩૭૧, ટિપ્પણુ પ૪મું.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284