Book Title: Prachin Bharat Varshnu Sinhavlokan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 279
________________ (ર૪૩) ડોકટરસાહેબ! તમારી સ્વછંદ બુદ્ધિ ઉપર કાબૂ રાખે. અને કોઈ પણ પુરાવા બતાવ્યા સિવાય આવી ઉટપટાંગ પ્રતિભાનું પ્રદર્શન ન કરો. મને ભય છે કે આ ઈતિહાસ લખનારને કઈ ધતૂરાના મિત્ર તરીકે ન ઓળખે. જ્યાં તીર્થકલ્પમાં પાવાપુરીને કલ્પ છે ત્યાં એમ પણ જણાવેલું છે કે – "मज्झिमपावाए पुट्विं अपावापुरि त्ति नामं आसि । सक्केण पावापुरि त्ति नामं कयं जेण इत्थ महावीरसामी कालगओ। इत्थेव य पुरीए वइसाहसुद्धइक्कारसीदिवसे जंभिअगामाओ रत्ति बारसजोअणाणि आगंतूण पुव्वण्हदेसकाले महासेणवने भगवया गोअमाई गणहरा पंडिअगणपरिवुडा दिक्खिआ प्पमुइआ।" વિવિધ તીર્થકલ્પ, પૃ. ૪૪ સિંઘી ગ્રંથમાળા અર્થાત–“જે મધ્યમ પાવાનગરીમાં ભગવાન મહાવીર કાળધર્મ પામેલા તે નગરીનું અસલ નામ અપાવાપુરી હતું, પણુ ભગવાનના કાળધર્મ પામવાથી શકે તેને પાવાપૂરી કહી. વળી, વિશાખ સુદ એકાદશીને દિવસે જલિય ગામથી બાર જન એક રાતમાં ચાલીને ભગવાન અહીં આવેલા અને અહીં આવી તેમણે ગૌતમ વગેરેને પ્રતિબોધ કરી દીક્ષિત કરેલા.” આ ઉલ્લેખમાં તે એ પણ સ્પષ્ટ જણાવેલું છે કે, જભિય ગામથી પાવાપુરી બાર એજન છેટી હતી. વળી આ જંભિય ગામ જુવાલુકા નદીની પાસે હતું. જુવાલુકાનું આજનું નામ અજય નદી છે અને જલિયનું આજનું નામ જમગ્રામ છે. આ બન્ને સ્થળે પૂર્વ દિશામાં અત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284