________________
(૨૨૬ )
તેમણે જ બનાવરાવી છે. અને તે બનાવવામાં પણ તેમને હેતુ પિતાના ધર્મ પ્રત્યેના કોઈ કાર્યની મહત્તાક જ છે જોઈએ એમ સ્વાભાવિક અનુમાન કરાય છે. આટલા ખ્યાલ સાથે, જ્યારે આપણે શ્રવણ બેલગેલની પ્રચંડ મૂર્તિઓની કથા જેડીએ છીએ ત્યારે એ હકીકત ઉપર વિશેષ પ્રકાશ પડે છે અને એમ અનુમાન કરવા લલચાઈએ છીએ કે જ્યારે આ શ્રવણ બેલગોલનું સ્થાન, રાજા ચંદ્રગુપ્ત અને તેમના ધર્મગુરુ શ્રી ભદ્રબાહુના અંતિમ જીવન સાથે સંકળાયેલું છે, ત્યારે આ મૂર્તિ એ ઊભી કરવામાં પણ તેમનાં જ જીવનનાં પ્રસંગે કાં નિમિત્ત–કારણ–રૂપ ન બન્યા હોય? એટલે એ જ નિર્ણય ઉપર આવવું રહે છે કે, આ મૂતિઓ પણ રાજા ચંદ્રગુપ્તની કે તેમના ગુરુ શ્રી ભદ્રબાહુની હશે.”
(“પ્રાચીન ભારતવર્ષ' ભાગ ૨, ૫, ૩૭૮) ઉપર્યુક્ત લખાણમાં ડૉકટરસાહેબ પોતે જ “એમૂર્તિ ભદ્રબાહુ ની હશે” એમ કહેવા લલચાય છે અને મહારાજા પ્રિયદર્શિને બનાવી લેવી જોઈએ એવું અનુમાન કરે છે, પરંતુ એ માટે એક પણ પ્રમાણ કે પુરા તેમની પાસે હયાત નથી. તેમને એવી ખબર તો હોવી જ જોઈએ કે તેમની પિતાની લાલચમાત્રથી વા અનુમાન દેરવાની રીત ઉપરથી ઈતિહાસ રચી શકાતું નથી. ઇતિહાસ માટે તે નક્કર પ્રમાણ-પુરાવા હેવા જોઈએ. ઇતિહાસવિદ્દ તે “નામૂર્વ ક્રિસ્થ ક્રિશ્ચિત્ 'ની ઉક્તિને અક્ષરશઃ વળગી રહે છે, પરંતુ આપણા આ નવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com