Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 38
________________ ૩૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૬-૦૯ પ્રેમળ જ્યોતિના ખાતામાં વર્ષાન્ત રૂા. ૩૧૯૧૨ -૧૨ની પુરાંત રહે છે. હોમિયોપથી સારવાર રીઝર્વ ફંડ આ ખાતામાં ગયા વર્ષે . ૩૬૦૦ જમાં હતા તે એટલા જ રહે છે. તેના વ્યાજના વર્ષ દરમિયાન રૂ. ૩૬૦ લાવ્યા તે પ્રેમળ જ્યોતિ ખાતે આપણે લઈ ગયા છીએ. શ્રી દીપચંદ શ્રી. શાહ ટ્રસ્ટ ઉપરોકત ટ્રસ્ટમાં આગલા વર્ષના રૂા. ૩૩૩૫૪-૦૦ જમા હતા. વર્ષ દરમિયાન રૂા. ૭૫૧-૦૦ ભેટના આવ્યા એટલે એકંદરે રકમ રૂા. ૩૪૧૦૫-૦૦ આ ખાતામાં જમા રહે છે. આ યોજનાના અનુસંધાનમાં “મહાવીર વાણી” નામનું પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. જેને પ્રકાશનવિધિ મહાવીર જયાંતિના દિવસે તા. ૧-૪-૧૯૭૯ના રોજ પ.પૂ. મુનિવર શ્રી અરુણવિજયજીના હસ્તે કરવામાં આવ્યો હતો, તેની કિંમત રૂા. ૧૨ રાખવામાં આવી છે, પરંતુ સંઘના સભ્યો તેમ જ આજીવન સભ્યોને રૂા. ૭માં આપવાનું ઠરાવ્યું છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત અને સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત ‘વિદ્યાસ’ પ્રવૃત્તિ ગયા વર્ષે આ ખાતામાં રૂા. ૧૩૩૩૫-૮૫ જમા હતા. વર્ષ દરમિયાન તેમાં રૂા. ૧૦૦૪-૦૦ને ઉમેરો થતાં આ રકમ રૂ. ૧૪૩૩૯-૮૫ની થઈ. તેમાંથી વિદ્યાસ વ્યાખ્યાનમાળાને ખર્ચ રૂ. ૪૯૯૪-૦૦ થયો તે બાદ કરતાં વર્ષની આખરે આ ખાતામાં રૂા. ૯૩૪૫-૮૫ બાકી રહે છે. આ પ્રવૃત્તિ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે. વિદ્યાસત્રની ત્રીજા વર્ષની વ્યાખ્યાનમાળા ડિસેંબર માસની ૭-૮-૯ તારીખેએ ધી ઈન્ડિયન મરચન્ટસ ચેમ્બરના સભાગૃહમાં ર્ડો. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને જવામાં આવી હતી. થોડે સાહિત્ય વિચાર” એ મથાળા નીચે (૧) સાહિત્ય શા માટે? (૨) બીજી કલા અને વાડામય, (૩) રસાસ્વાદના કેટલાક પ્રશ્નો - એ વિષય ઉપર છે. મનસુખલાલ ઝવેરી બોલ્યા હતા. - ત્રણ દિવસ શ્રોતાઓની સારી હાજરી રહી હતી. ત્રણે દિવસનાં વ્યાખ્યાને ખૂબ જ રસપ્રદ નિવડયાં હતાં. જીવનઘડતરલક્ષી પ્રવૃત્તિ સંચાલન કરી રહ્યા છે, આ માટે અમે તેમના આભારી છીએ. ગત વર્ષના વાર્ષિક વૃતાંતમાં તા. ૨૩-૩-'૭૮ સુધીના આયોજનાની માહિતી આપવામાં આવી હતી, ત્યાર બાદ નીચે પ્રમાણે સભાઓ થઈ હતી. (૧) વકતા: શ્રીમતી જ્યોત્સનાબહેન ત્રિવેદી વિષય: કવિતાને રસાસ્વાદ તારીખ: ૪-૧-૭૯ (૨) વકતા: શ્રી જમનાદાસભાઈ લાદીવાળા વિષય: આત્મપ્રતિતી તારીખ: ૨૯-૧-૭૯ (૩) વકતા: શ્રી જેઠાલાલભાઈ ઝવેરી વિષય: પ્રેક્ષા ધ્યાન ઉપર વાર્તાલાપ : પ્રયોગ સાથે તારીખ: ૨*૨-૭૯ (૪) વકતા: શ્રી મનુભાઈ મહેતા વિષય: આધુનિક વિજ્ઞાનની પ્રગતિની પરિસ્થિતિ તારીખ: ૨૦-૪-૭૯ (૫) વકતા: શ્રીમતી શુકલાબહેન શાહ વિષય: હિન્દી સાહિત્યની કવિયત્રીઓ તારીખ: ૨૬-૪-૭૯ શ્રી પરમાનંદ, કાપડિયા સભાગૃહ સંઘના નિયમ પ્રમાણે વિવિધ સંસ્થાઓને આ સભાગૃહ નામના ભાડાથી રાપવામાં અાવે છે. આના કારણે ઘણી સંસ્થાઓની વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. એ કારણે આ સભાગૃહ નાની સંસ્થાઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. વર્ષ દરમિયાન સભાગૃહ અંગેની આવક રૂા. ૨૫૦૩ની થઈ હતી. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ : સુવર્ણ જયંતી મહોત્સવ: સંઘે ૫૦ વર્ષની મજલ પુરી કરી તેના અનુસંધાનમાં તા. ૧૨-૧૬-૧૭ નવેમ્બર, એમ ત્રણ દિવસના ભરચક કાર્યક્રમ સાથે સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. " સમગ્ર કાર્યક્રમને સંપૂર્ણ સફળતા વરે એ કારણે નીચે પ્રમાણેની ચાર પેટા સમિતિ નીમવામાં આવી હતી. સુવર્ણજયંતી મહોત્સવને કાર્યક્રમ નીચે પ્રમાણે રાખવામાં આવ્યો હતો. (૧) પ્રબુદ્ધ જીવન” વિશેષાંક સમિતિ (૧) ડો. રમણલાલ ચી. શાહ (૨) છે. તારાબહેન આર. શાહ (૩) શ્રી યંબકભાઈ મહેતા (૪) શ્રી કાંતીલાલ ડી. કેરા આ સમિતિના કન્વીનર તરીકે ડો. રમણલાલ ચી. શાહને નીમવામાં આવ્યા હતા. (૨) સુવેનિયર સમિતિ (૧) શ્રી પન્નાલાલ આર. શાહ (૨) , શાંતિલાલ દેવજી નન્દુ (૩) , સુબોધભાઈ એમ. શાહ (૪) કે ચંપકભાઈ અજમેરા આ સમિતિના કન્વીનર તરીકે શ્રી. પન્નાલાલ આર. શાહને નીમવામાં આવ્યા હતા. (૩) સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ (૧) શ્રી કમલબહેન પીસપાટી (૨) છ ગણપતલાલ મગનલાલ ઝવેરી (૩) , નીરુબહેન સુધભાઈ શાહ આ સમિતિના કન્વીનર તરીકે શ્રી ગણપતભાઈ મ. ઝવેરીને નીમવામાં આવ્યા હતા. (૪) સેમીનાર સમિતિ” (૧) ડો. રમણલાલ ચી. શાહ (૨) છે. તારાબહેન શાહ ૩) શ્રી પ્રતાપભાઈ કે. શાહ (૪) એ અમર જરીવાળા આ સમિતિના કન્વીનર તરીકે ર્ડો. રમણલાલ ચી. શાહને નીમવામાં આવ્યા હન. સંધના આજીવન સભ્ય શ્રી ચન્દ્રકાન્તભાઈ આનંદપરા દ્વારા સંઘને શ્રી ચુનીલાલ ધરમશી આનંદપરા અને તેમના કુટુંબીજને તરફથી, જીવનઘડતરલક્ષી પુસ્તકોને વિભાગ શરૂ કરવા માટે રૂા.૫૦૦૦નું દાન મળ્યું હતું. તેમાંથી આને લગતા પુસ્તકોને એક વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. એના માટે આપણે શ્રી ચન્દ્રકાન્તભાઈ આનંદપરાના આભારી છીએ. આ વિભાગનો લાભ લેવા અમે સભ્યોને અનુરોધ કરીએ છીએ. પ્રસ્તુત વિભાગમાં સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે એમની અંગત લાયબ્રેરીમાંથી કેટલાંક મૂલ્યવાન પુસ્તક ભેટ આપ્યાં છે, જે માટે અમે તેમનાં પણ આભારી છીએ. વર્ષ દરમિયાન જાયેલાં સંમેલને: સપ્ટેમ્બર ૨૦: વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડૅ. રમણલાલ ચી. શાહના સન્માનને લગતું આયોજન શ્રીમતી ઈન્દુબહેન મુન્સીકના નિવાસસ્થાને. એકબર ૨૧: ડો. પદ્મનાભ જેનને “ભારતમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ” એ વિષય ઉપર વાર્તાલાપ. ૧૯૭૯: માર્ચ ૧૦: ડૉ. કિશોર ડી. શાહને બ્લડપ્રેશર, તેના કારણે અને નિદાન–એ વિષય ઉપર વાર્તાલાપ–તેને લગતી સ્લાઈડ સાથે. અભ્યાસ વર્તુળ સંઘની આ પ્રવૃત્તિ સારી રીતે ચાલી રહી છે. આ વર્તુળના કન્વીનર તરીકે શ્રી સુબોધભાઈ એમ. શાહ ઘણી ધગશપૂર્વક તેનું

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158