Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 73
________________ તા. ૧૬-૮-૭૯ બુદ્ધ જીવન રચવા મદદ કરવાની તત્પરતા દાખવી ચરણસિંહ પણ ઈદિરા ગાંધીને ધિક્કારે છે, પણ ટૂંક સમય માટે ય વડાપ્રધાનપદ મેળવવા તેમણે મદદ ઝડપી લીધી. મેરારજી દેસાઈ, ઈદિરા અને ચરણસિંહ તથા બીજા વિકલ્પ સમા જગજીવનરામને ય ધિક્કારે છે. એથી આશાનિરાશામાં પલટાવાની વાસ્તવિકતા આવી પડી ત્યારે, થ તેમણે દોડાદોડ અને ટ્યૂહરચના ચાલુ રાખ્યાં. સભાના વર્તમાન સભ્યોએ લોકોનો સંપૂર્ણપણે વિશ્વાસ ગુમાવ્યો છે. કોઈ રીતે ચાલુ રહેવાને પાત્ર નથી. પ્રજાએ જે કટીમાંથી પસાર થવું લખ્યું હશે તેને સામને કર્યો જ છૂટકો છે. સમગ્ર રાજકીય પદ્ધતિને પડકાર છે. આવા લોકો સત્તાસ્થાને રહે તો અનૈકિતા વધવાની. - રાજ્યમાં અસ્થિરતા વધતી જાય છે. હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, દરેક રાજ્યમાં પક્ષપલટાઓ, કાવાદાવા, સત્તાની સાઠમારી ચાલુ છે. આર્થિક સ્થિતિ તેમ જ કાયદો અને વ્યવસ્થા વણસતા રહે છે. કેન્દ્ર સરકાર અસ્થિર હોય ત્યારે રાજયોમાં અસ્થિરતા વધે છે. અસામાજિક તત્ત્વોને બળ મળે. ભ્રાચાર વધે તે તંત્રની શિથિલતા વધે. મજરો વિફરે અને અમર્યાદિત માગણી થાય. વેપાર-ઉદ્યોગ સ્થળે, મોંઘવારી અસાધારણ વધતી જાય છે. ૮૦ ટક પ્રજાની હાડમારી વધે છે. એસ. એમ. જોશી અને મધુ દંડવતેએ કહ્યું કે, જ્યોર્જ ફરનાન્ડીઝ, મધુ લિયે અને મૃણાલ ગેરે, જેવાએ પ્રજાને દગો દીધું છે. આ બધા ગઈ કાલના સાથીઓ હતા. પ્રજા લાંબે વખત નિઃસહાયપણે આ બધું સહન નહિ કરી શકે. વિસ્ફોટક સ્થિતિમાં બધાને સહન કરવું પડે. તેવા સંજોગોમાં પ્રજાને રોષ યોગ્ય માર્ગે જ વળશે એમ માની ન લેવાય. મધ્યસત્ર ચૂંટણી થાય ત્યાં સુધી ચરણસિહ સત્તા પર રહે તે અસહ્ય છે. રાષ્ટ્રીય સરકાર સર્વ પક્ષોના પ્રતિનિધિઓની ચી, રખેવાળ સરકાર તરીકે કામ કરે એ જ માર્ગ છે. વર્તમાન લોકસભાના સભ્યોને મધ્યસત્ર ચૂંટણી જોઈતી નથી. પણ રાષ્ટ્રપતિએ નિર્ણય કરવો જોઈએ અને પ્રજાને બચાવવી જોઈએ. મધ્યસત્ર ચૂંટણી જાહેર કરી, રાષ્ટ્રીય રખેવાળ સરકારની રચના કરવી. રાષ્ટ્રપતિ તેમ કરી શકે છે. જરૂર પડે ત્યાં રાજ્યોમાં, રાષ્ટ્રપતિની સૂરાનાથી ગર્વનરોએ એ માર્ગ લેવો જોઈએ. આઝાદીના ૩૩ માં વર્ષે રાષ્ટ્ર સામે મોટી કોટી અને આફત છે. ત્યારે આવા પગલાં લેવામાં પ્રજાએ રાષ્ટ્રપતિને પીઠબળ આપવું જોઈએ. ઠેર ઠેરથી આવી માગણીઓ થવી જોઈએ. પ્રજામત કેળવવામાં બુદ્ધિશાળી વગે પિતાને ફાળે આપવાનું રહે છે. ૧૩-૮-૭૯ - -ચીમનલાલ ચકુભાઈ અને ભારત? ભારતમાં વહેલી ચૂંટણી કોઈને ખપતી નહોતી અને તત્કાળ શકય નહોતી એટલે એ એકમાત્ર ભાવિ ટાળવા ફ૬ વર્ષના એક મહત્ત્વાકાંક્ષી આદમીએ હતાશાની પળમાં સગવડીયું જોડાણ કર્યું. ચરણસિંહની સરકાર ભય અને ગમાઅણગનાને જોડાણ સમી બની રહેશે. ભાવિ અંધકારમય છે. છેલ્લાં બે અઠવાડિયા દરમ્યાન ખેલાયેલાં સ્વાર્થ પ્રેરિત સંઘર્ષોએ એને વધુ અંધકારમય બનાવ્યું છે. શ્રીમતી ગાંધીના આપખુદ શાસન સામે આજથી અઢી વર્ષ પહેલાં લગી ઉઠેલા લોકોએ જે નેતાગીને ચૂંટયા તેઓ પોતે લોકોના વિશ્વાસને પાત્ર નહોતા એ પુરવાર કરી આખાં છે. એ ઘટના ખરેખર કણ છે. કારણ કે વિકલ્પ અત્યંત સંકુચિત બની ગયા છે. શ્રી સિંહે પિતાની લાલતા સિદ્ધ કરી છે. ટૂંક સમયમાં યુવાન રાજનેતાઓને પણ સંભવત: તક મળશે. સર્વોચ્ચ સ્થાને મેળવવા માટેની આ ઉગ્ર સ્પર્ધા ટૂંક સમય માટેની નથી, એ સ્પર્ધા ભારતની લોકશાહી જાળવી રાખીને દેશનું સુકાન કુશળ વહીવટકર્તાના હાથમાં છે એ પણ પુરવાર કરવાનું છે. આવું કૌશલ્ય વ્યકિતગત આક્ષેપથી નહીં આવે. બળજબરીથી લદાયેલી ચૂંટણી આડે કદાચ છ માસ જ રહ્યા છે. જનતા પક્ષ જે સ્થિતિમાં છે ત્યાંથી તેને ફરી સમકક્ષ બનાવવા છ મહિના બહુ ટુંકે ગાળો કહેવાય, તે શ્રીમતી ગાંધીની હાજરીમાં એક પકાની પ્રતિમામાં નવીનતા આણવાનું શકય પણ નથી. શ્રી મોરારજી દેસાઈ ‘વાતાવરણની દૃપિતાની વાત કરે છે ત્યારે તેઓ અનિવાર્ય પડકારને નક્કરપણે રજૂ કરી શકયા છે. ગાર્ડિયનમાંથી ટીકા કરવા જ દો સુપ્રસિદ્ધ અંગ્રેજ લેખક નોર્મન વિન્સન્ટ પિલ પિતાના એક મિત્રની વાતો અવારનવાર કહ્યા કરતા : “મારા આ મહાન મિત્રની ઘણાં લોકો કડવી ટીકાઓ કરે, પણ તેની એના પર કશી અસર થાય નહિ. અરે, કોઈ તેને નિંદતુ, તે એવા નિદકોનું પણ તે કદી બુરૂ બોલે નહિ.” ભારતનું ગંધાતું સપ્તાહ ઊંડા વિચાર પછી હું એવા નિષ્કર્ષ પર આવ્યો છું કે આપણા રાજકીય વાતાવરણમાં હાલ પ્રવર્તતા ગંદવાડમાં જરા અમસ્તે ય વધારો ન કરવા માટે એનાથી દુર રહેવું જોઈએ. ભૂલ માટેની જવાબદારી સ્વીકારીને જનતા સંસદીય નેતાપદેથી રાજીનામું આપવાનો મેં નિર્ણય કર્યો છે. હવે પછી હું કોઈ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ નહીં લઉં.' શ્રી મોરારજી દેસાઈ ૮૩ વર્ષની વયે ઘણા ઓછા માણસે કરવા તૈયાર થાય ત્યારે તેઓ રાજકીય તખતો છોડવા તૈયાર થયા. દેખીતી રીતે લેકસનાના તેમના મનાતા ટેકેદારોનાં ડાં નામો (સફળ ઉમેદવાર) ચરણસિંહની યાદીમાં પણ આવી જવાથી એમ જણાય છે કે તેઓ રાજકારણ તજે એ નિશ્ચિત છે. એક પ્રતિ માશાળી અને સુદીર્ઘ કાળની કારકીર્દિના આ કરણ અંત છે. પણ, એમ તો દેસાઈ સરકારનાં પતન પછીના બાર દિવસે ય એટલા જ ખેદજનક છે. વ્યકિતગત આદરને બદલે, સિદ્ધાંતોને આધારે ભારતીય રાજકીય પક્ષોના પુનડાણની અપેક્ષા કોઈ રાખે તો તે સ્વાભાવિક ગણાય. તેને બદલે અધમ કક્ષાની સત્તાલાલસા જોવા મળી એ આઘાતજનક છે. શ્રીમતી ગાંધી ચરણસિંહને ધિક્કારે છે, છતાં એમણે ચાલાકીથી એમને સરકાર | પિલસાહેબને શરૂમાં મિત્રના આવા વર્તનથી બહુ આશ્ચર્ય થતું. તેમને થતું: “મારો આ મિત્ર કેવો વિચિત્ર છે! કોઈ આપણી ટીકા કરે તો તેને બરાબર સંભળાવી દેવું જોઈએ. તો જ સામાને ખબર પડે!” પિલસાહેબથી ન રહેવાયું, એટલે એક દિવસ તેમણે પોતાના આ મિત્ર આગળ પોતાનો રોષ અને અણગમો છતો કરી દીધું. ત્યારે એ મિત્ર શાંતિથી જવાબ દેતાં તેમને કહ્યું : “પિલ, કોઈ માણસ આપણો દોષ આંગળી ચીંધીને બતાવતા હોય ત્યારે તું ખાસ ધ્યાન રાખજે. તે એક આંગળી આપણા તરફ ચીંધતો હોય છે, ત્યારે તેની બાકીની ત્રણ આંગળીઓ તેની પિતાની જાતને જ ચધી રહી હયઃ છે એટલે જયારે કોઈ મારી ઉપર કીચડ ઉછાળે છે, ત્યારે મને ખરેખ એની એ ૬ થી આવે છે. કેમકે એ જ વેળા એ બિચારો. તેની પોતાની જાત ઉપર ત્રણગણો કીચડ ઉછાળી રહ્યો હોય છે !”

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158