Book Title: Prabuddha Jivan 1979 Year 42 Ank 01 to 16
Author(s): Chimanlal Chakubhai Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 93
________________ તા. ૧૬-૯-૭૯ પ્રબુદ્ધ જીવન શાહી મરી પરવારી છે ત્યારે ભારત જેવા મેટા દેશમાં હજી સ્વતંત્રતા છે, કાયદાનું રાજ્ય છે, શાનિતમય માગે રાજ્ય પલટૅ કરી શકીએ છીએ તે ગૌરવની વાત છે. આ નાનીસુની સિદ્ધિ નથી. The biggest question mark over India's coming election is whether it will put power back in the very same hands whose previous abuse of it was condemned by the electorate two years ago. સ્થિરતાને નામે સ્વતંત્રતા અને લોકશાહીને ભેગ અપાશે કે અસ્થિરતાનો ભય વહોરી લઈને પણ લોકશાહી અને સ્વતંત્રતા જાળવશું અને આપખુદ સરમુખત્યારી બળોને પરાસ્ત કરીશું. રાજકીય પક્ષે અને તેના આગેવાને કરતા પ્રજાની ખરી કસોટી છે. ૧૩-૯-૭૯ ચીમનલાલ ચકુભાઈ લોકશાહી સમાજવાદનું સાચું સ્વરૂપ ઈન્દિરાબેને, આશ્વ પ્રદેશમાં, તિર પતિની બે કલાક આરાધના કર્યા પછી, કુરનુલમાંથી પિતાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો અને પોતે “ડેમેકસી, સોલિઝમ એન્ડ સેકયુલારિઝમ ” એટલે કે કશાહી સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા” માટે લડી રહ્યા છે એમ જાહેર કર્યું હતું. સમાજવાદ એ શબ્દ આપણે માટે ન હશે, પણ એની ભાવના આપણે માટે નવી નથી. વસુધૈવ વવમ્ અથવા તો ગામવસર્વભૂતેષુ વગેરે જેવાં આપણાં સૂત્રો, આપણી સમાજરચના અંગે ને આપણા પ્રાચીનાને ખ્યાલ કે હતો તે બતાવી જાય છે, એટલું જ નહિ પરંતુ એ ખ્યાલમાં, સમાજવાદ અંગેના આધુનિક ખ્યાલના બીજ પણ દઢપણે રોપાયેલા હતા એવું પુરવાર કરી જાય છે. પણ પ્રશ્ન સહેજે થાય છે, કે સમાજવાદ. અંગેને આધુનિક ખ્યાલ શું છે? યુ. એસ. એસ. આર એટલે કે સોવિયેતના સમાજવાદી રાજ્યના સંઘમાં જે પ્રકારના “સમાજવાદ ”નું આચરણ થાય છે તે સમાજવાદ અંગેના આધુનિક ખ્યાલનું એક સ્વરૂપ છે, તે ફેબિયન સમાજવાદીઓએ જે સેશિયલ ડેમોક્રસી એટલે કે સમાજવાદ પર આધારિત લોકશાહીની કલ્પના કરી છે તે સમાજદ અંગેના આધુનિક ખ્યાલનું બીજું સ્વરૂપ છે. આ બીજા રવરૂપને પુરસ્કાર કરનારાઓ જે ઇગ્લેન્ડમાં, કાંસમાં, ઈટાલીમાં, જર્મનીમાં એમ ઘણે કેકાણે છે. બ્રિટનની લેબર પાર્ટી પણ મડદેશે આ ખ્યાલને પુરસ્કાર કરતી. બ્રિટનની લેબર પાર્ટીના ઘણા મહાનુભાવ સાથે પંડિત જવાહરલાલ નહેર ને અંગત મિત્રતા હતી અને એ મિત્રો પાસેથી પ્રેરણા લઈને જવાહરલાલે પણ ભારતમાં રોયલ ડેકસી પર આધારિત શાસન અમલમાં આણવાને પ્રયત્ન કર્યો હતો. એમની પુત્રી આજે પણ આવી રહેલી મધ્યસત્ર ચૂંટણીના ઉપલક્ષમાં સોશ્યાલિઝમ, ડેમોક્રસી અને સેકયુલરિઝમની વાત કરે છે, પણ એની વાત અને વર્તનમાં કેટલું આભ-જમીનનું અંતર રહેલું હોય છે તે આપણે જોઈ લીધું, પણ બીજાઓ પણ દેશના હિત અંગે નીરક્ષીર ન્યાયે વિચાર કરીને જ પિતાના માતાધિકારને ઉપયોગ કરશે એવી આશા વ્યકત કરીને સેશ્યલ ડેકસી અંગેને એના પોશ્ચાત્ય પ્રણેતાઓના ખ્યાલ છે હતા તેની આપણે ચર્ચા કરીશું. - યુરોપના સોશ્યલ ડેમેકેટ જૂથના એક માનનીય મુખી હતા શ્રી. એન્થની કોસલેન્ડ. ૧૯૭૭માં તેમનું અવસાન થયું હતું. બ્રિટનમાં જ્યારે મજૂર પક્ષની સરકાર હતી ત્યારે એ સરકારમાં તેમણે વિવિધ હોદ્દાઓ ભેગવ્યા હતા અને એક વખત તેઓ વિદેશ પ્રધાન પણ બન્યા હતા. સોશ્યલ ડેમેકસીનું ઘડતર યુદ્ધોત્તર અનુભવના ઉપલક્ષામાં કેવી રીતે થવું જોઈએ એ અંગે તેમણે એક પ્રદીર્ધ નિબંધ લખ્ય હતો, જેની યુરોપના અને બીજા દેશેના લેકશાહીસમાજવાદમાં માનનારાં ઘણાં મંડળમાં ચર્ચા થઈ હતી, કારણકે આર્થિક લક્ષ્યાંક અને રાજદ્વારી લક્ષ્યાંક વચ્ચે કેવા પ્રકારને સંબંધ રહેવું જોઈએ તેની એ નિબંધમાં વિશદ્ વિચારણા કરવામાં આવી હતી. એ નિબંધ સાર ભાગ હમણા જ “અમેરિકન રિબૂ”માં પ્રગટ થયું છે અને આ લેખના હેતુ માટે મેં એને ઉપયોગ કર્યો છે. : - શ્રી ક્રોસલેન્ડ કહે છે, કે “એક દિવસ આપણે ઊંઘમાંથી જાગીશું ત્યારે સમાજવાદને સૂર્ય આપણે ઊગેલ જોશું એવું ઘણા ભેળા સમાજવાદીએ ધારતા હતા, પણ સમાજેવાદ એ એક એવી વાત છે જેની સ્પષ્ટ શબ્દોમાં વ્યાખ્યા થઈ શકે એમ નથી. સમાજવાદે આજે કોઈ વિશિષ્ટ સામાજિક આકાર ધારણ કર્યો નથી એટલું જ નહિ ભૂતકાળમાં પણ એણે એવો કોઈ આકાર ધારણ કર્યો નહોતો. સમાજવાદ શબ્દ તે સમાજના ઘડતર માટે જ સિદ્ધાન્તો,આકાંક્ષાએ અને જે મૂલ્યાંકનોને આપણે અપનાવવાં જોઈએ તેનું માત્ર વર્ણન કરે છે.” એ મૂલ્યાંકનનું વિશ્લેષણ કરતાં શ્રી ક્રોસલેન્ડ કહે છે, કે “સમાજ'વાદી સમાજરચનામાં સૌથી પહેલો અગ્રક્રમ ગરીબ અને દલિતોની સ્થિતિની સુધારણાના કાર્યક્રમને મળવું જોઈએ. સમાજ અને શાસન પાસેનાં સાધનો પર તેમને પહેલે અધિકાર છે. આ પછી સમાનતાની ભાવનાના પ્રચારને પ્રાધાન્ય મળવું જોઈએ. અમારો સામાજિક સમાનતાને ખ્યાલ એ છે, કે સમૃદ્ધિ, શિક્ષણવ્યવસ્થા, સમાજના વિવિધ વર્ગોને દરજજો સત્તા અને ઉદ્યોગમાંના વિશેષાધિકાર એ બધાંને સ્પર્શતી એક વ્યાપક સામાજિક સમાનતા, વર્ગવિહીન સમાજનું–ન્સમાજવાદીઓનું જે જનું સ્વપ્ન છે તેને અમે આ રીતે અર્થ કરીએ છીએ. આ પછી પરિસર ઉપરના કડક સામાજિક અંકુશની વાત આવે છે. આજે જ્યારે પ્રદુષણને પ્રશ્ન ઉગ્ર બન્ય છે ત્યારે ધના ધનના જોરે સારો પરિસર ખરીદી શકે છે અને તેથી જ શહેરી વિસ્તારોની જમીનને સમગ્ર સમાજના લાભ માટે ઉપયોગ થાય એવો કડક અંકુશ મૂકવો જરૂરી છે.” ' શ્રી. ક્રોસલેન્ડ કહે છે, કે ૧૯૭૦ પછીના દસકામાં સેશ્યલ ડેમોક્રેટોએ આ ત્રણ મુદ્દા પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ઇન્દિરાબેને પણ દલિતોના અને પીડિતોના ઉદ્ધારની વાત કરી છે અને ગંદા વિસ્તારની નાબૂદીની વાત કરી છે. ગરીબી હટાવવાની વાત કરી છે અને સમાનતાના ધોરણે સમાજની રચનાની વાત કરી છે. પણ એમના અગિયાર વર્ષના શાસનકાળ દરમિયાન એવું કંઈ થયું છે. ખરું? ખેદની વાત છે, કે જનતા પક્ષ જેવા બીજાઓ પણ સમાજને બદલવાની દિશામાં કાંઈ કરી શક્યા નથી અને તેથી જ ઇંદિરાબેન સામી છાતીએ જનતા સમક્ષ આવી શકે છે અને મત માટે માગણી કરી શકે છે. હું તે માનું છું કે ઇન્દિરાબેનની આ . માગણીને પ્રજા પૂરતા પ્રમાણમાં પ્રતિસાદ આપશે તે તે પ્રજા માટે એક મોટા દુર્ભાગ્યની ઘટના હશે. કારણકે ઈન્દિરાબેન સરમુખત્યારશાહી માનસ બદલાયું નથી. દુનિયાની કોઈ તાકાત મને ચૂંટણીમાં ઊભી રહેતી અટકાવી શકે એમ નથી એવા એમના અહંકારમાં આ સરમુખત્યારશાહી માનસની ગંધ નથી આવતી?) અને તેઓ જે સનાપર આવશે તે પ્રજા ઉપર સરમુખત્યારશાહીને કોરડે બેવડા જોરથી વીંઝાશે. આજે લોકે કહે છે, કે ઈદિરાબેન કટોકટી દરમિયાનનું શાસન સારું હતું. શ્રી. કોસલેન્ડે પોતાના નિબંધમાં આવા લોકોને સુંદર જવાબ આપ્યો છે. તેઓ કહે છે કે: “બીજા વિશ્વયુદ્ધ પહેલાં, નાઝી જર્મની ક્રૂર સરમુખત્યારશાહી દક્ષતાની સાક્ષાત મૂર્તિ ગણાતું. છતાં, યુદ્ધની અંતિમ ક્ષણે જ્યારે આવી ત્યારે લોકશાહી બ્રિટને પોતાનાં સઘળાં સાધનને વધારે દાતાથી ઉપયોગ કરી જાણે હતો અને યુદ્ધમાં પડેલાં બધાં જ મોટાં રાષ્ટ્રોમાં ઈટાલી દયાજનક રીતે રેઢિયાળ પુરવાર થયું હતું.” શ્રી. ક્રોસલેન્ડ આગળ ચાલતાં કહે છે કે, યુદ્ધોતર કાળમાં, સામ્યવાદી દેશના ઝડપી આર્થિક વિકાસથી મારા સમાજવાદી મિત્રો અકળાયા હતા. તેઓ તે કહેતા હતા, કે આ વિકાસ સરમુખત્યારશાહીને કારણે શક્ય બન્યો છે. પણ આપણે જે તાત્વિક રીતે જ વિચાર કરીશું તો જણાશે કે કોઇ પણ દેશને અધિક વિકાસ સરમુખત્યારશાહીને કારણે વધારે ઝડપી બન્યા હોવાનું જણાશે નહિ, સોવિયેત યુનિયનને લાખ ટન ઘઉં બહારથી ખરીદવા પડે છે. જ્યારે જર્મની અને જાપાનને વિકાસ આશ્ચર્યજનક છે. બીનસામ્યવાદી દેશમાં પણ જે સરમુખત્યારશાહી દેશે છે તે જ સૌથી પછાત છે. એથી જ આપાગ્યું સૂત્ર તે હોવું જોઈએ: સ્વાતંત્ર્ય અને સમાનતા.” શ્રી. કોસલેન્ડના જેવી જ ભાવના વિદ્રોહી ગણાતા લેખક આઈવાન ઇલીચે વ્યકત કરી છે. “સમાજવાદ” વિશે લખતાં તેમણે જણાવ્યું છે કે “સમાજવાદની ઝડપ તો બાઈસીકલની ઝડપ જેવી છે પણ એને પેટ્રોલ ખૂટી જવાની કે એનાં વીજળી જોડાણ બગડી જવાની કોઈ ધારતી નથી.” આપણે ત્યાં જવાહરલાલના શાસનથી માંડીને આજ સુધીના બધા શાસકોએ સમાજવાદની

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158