________________
પવિત્રતાને પંથે
ઉપરના પ્રશ્નનો ઉત્તર સમજવાને માટે આપણે એક દષ્ટાન્ત લઈએ.
હાલનું વિજ્ઞાનશાસ્ત્ર આપણને જણાવે છે, તેમજ આપણે અનુભવથી પણ જાણુએ છીએ કે આપણી ચારે બાજુએ હવા આવેલી છે, પણ જે વસ્તુ ચારે બાજુએ આવેલી હોય તેનું આપણને ભાન હોતું નથી. વળી આ હવાને વજન પણ છે, અને તે દરેક વર્ગ ઈંચ (square inch) ઉપર પંદર રતલ છે. છતાં આપણને તે વજનને ભાર લાગતા નથી. પણ જે કઈ પણ બાજુથી હવા લઈ લેવામાં આવે અને ત્યાં જગ્યા ખાલી થાય, તો હવાના દબાણનું તરત જ આપણને ભાન થાય. જે એક શીશીમાંથી હવાના પંપવડે હવા ખેંચી લેવામાં આવે, અને જે તે શીશા પર હાથ મૂકવામાં આવે તો હાથ ઉપર હવાનું દબાણ એટલું બધું થાય કે હાથમાંથી લેહીની સેરે નીકળે, કારણ કે ઉપરના દબાણને કિનારું હવાનું નીચેનું દબાણ તે વખતે હેતું નથી. તે જ રીતે આત્માની પૂર્ણ શક્તિઓ આપણામાં છે પણ આપણાં હૃદયે બહારના પદાર્થો, વાસનાઓ અને વિચારોથી એટલાં બધાં ભરેલાં છે કે તે આત્માની શક્તિએનું દબાણ આપણને લાગતું નથી. જે પળે હદય ઉપરથી પાપ તરફ દોરી જતી વાસનાઓ અને વિકારોનો ભાર ઓછો થઈ જશે, તે જ પળે તે સ્થળે આત્માની શક્તિઓ પ્રકટ થઈ પિતાને પ્રભાવ દર્શાવશે. આત્માની શક્તિઓ ખીલવવાની નથી, તે તે ખીલેલી જ છે, પણ તેને પ્રકટ થવામાં જે અંતરાયભૂત કારણે છે તે દૂર કરવાનાં છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org