Book Title: Navpada Prakash Part 2
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 35
________________ ૨૬ નવપદ પ્રકાશ આંતરશત્રઓને કચડી નાખવામાં વાપર્યું. સમસ્ત મળનો તથા સમસ્ત કર્મનો ક્ષય કરીને અક્ષય (જ્ઞાયિક) સીર્યવાળા ભગવાન સિદ્ધ બન્યા, એટલે શુદ્ધ સ્વરૂપવાળા થયા. જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય-સુખ પૂર્ણપણે પ્રગટ થયાં. આ બતાવે છે કે તમારે તમારા આત્માના શુદ્ધ સ્વરૂપમાં આવવું હોય તો કર્મનાં બંધન ને મળના કચરાને દૂર કરો. પોતાના સ્વરૂપમાં આવવાનું એટલે પોતાના ઘરમાં આવવાનું, આત્મ-ઘરમાં આવવાનું. તો રાગદ્વેષાદિએ મળ છે, જ્ઞાનાવરણીયાદિ એ કર્મ છે. તેનો નિગ્રહ થાય તો આત્મા સ્વઘરમાં આવે. સિદ્ધ ભગવાને રાગાદિમળ અને કર્મરજ સર્વથા નષ્ટ કરી છે. તેથી હવે સંપૂર્ણપણે એ સ્વઘરમાં હંમેશ માટે સ્થિર થયેલ છે. આપણા માટે હંમેશ એમનું આલંબન જોઈએ. એ સિદ્ધ ભગવાન રાગાદિમળ તોડવા બળ આપે છે. રાગાદિ મળનો નિગ્રહ થાય, એટલે કર્મનો નિગ્રહ સહેજે થઈ જાય. કેમકે રાગાદિ જ કર્મ બંધાવનાર છે. એ અટકયા એટલે નવો કર્મ-પ્રવાહ આત્મામાં આવતો અટક્યો, એમ નવાં કર્મનો નિગ્રહ થયો, તેમજ રાષ્લેષ દબાયા તેથી ખાનપાનાદિ-મોહ દબાયા ને એથી અનશનાદિ તપ થવા લાગ્યા, એથી જૂનાં કર્મનો નાશ થાય છે, જૂનાં ક્રમનો નિકાલ થાય છે. આ હિસાબે કહેવાય કે રાગાદિ મળનો નિગ્રહ થતાં કર્મનો નિગ્રહ સહેજે થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146