________________
૮s
નવપદ પ્રકાશ ૨. સાદિ અનંત ૩. અનાદિ સાંત ૪. અનાદિ અનંત આમ વસ્તુના સંબંધમાં ચાર પ્રકાર પડે.
(૧) “સાદિ સાંત” સંબંધની શરૂઆત હોય અને તેનો અંત પણ હોય-જેમ, કર્મનો જીવ સાથેનો સંબંધ સાદિ સાંત છે.
(૨) “સાદિ અનંત સંબંધની શરૂઆત હોય પણ તેનો અંત ન આવે; જેમકે અગ્રભાગ સાથે મુક્ત જીવનો સંબંધ થાય તે સાદિ, પણ પછી ત્યાં કદી તે સંબંધનો અંત ન આવે તે અનંત.
(૩) “અનાદિ સાંત' સંબંધની શરૂઆત ક્યારથી? તો કે શરૂઆત છે જ નહિ, પણ તેનો અંત આવે. જેમકે રાગાદિનો સંબંધ જીવને અનાદિનો છે, પણ ભવિજીવ વિતરાગ થાય ત્યારે તે સંબંધનો અંત થાય છે તેથી રાગાદિનો સંબંધ અનાદિ સાંત સંબંધ છે,
(૪) “અનાદિ અનંત” શરૂઆત પણ નહિ અને અંત પણ નહિ; જેમકે અભવિને સંસારનો સંબંધ અનાદિ છે, તેમ તેનો અંત આવવાનો જ નહિ; તેથી અનાદિ અનંત છે. ભગવાન સાથે આદિ-અનંત ભાંગે સંબંધઃ
આમાં ઋષભપ્રભુ સાથે સંબંધ સાદિ અનંત” ભાંગે સિદ્ધ કરવો છે.
“ રીઝયો સાહિબ સંગ ન પરિહરે ભાંગે “સાદિઅનંત”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org