Book Title: Navpada Prakash Part 2
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 81
________________ ૭૨ નવપદ પ્રકાશ અહીંથી તે એક જ એટલે કે પછીના જ સમયે મોક્ષમાં પ્રાપ્ત થઈ જાય. એટલે અહીં કર્મક્ષયનો સમય ને પછીના જ સમયે ત્યાં સિદ્ધશિલા પર અવસ્થાન. વચ્ચે સમયનું આંતરું જ નહીં. પ્ર0–એક જ સમયની ઊર્ધ્વગતિ કેમ બને? સાત રાજલોક વટાવવાની ગતિ થયા વગર લોકાન્ત–પ્રાપ્તિ કયાંથી થાય? ઉ૦-પૂર્વે કહી આવ્યા છે કે મુક્ત થનાર આત્માનું ઊર્ધ્વગમન અસ્પૃશદ્ ગતિએ છે, અર્થાત્ વચલા સાત રાજના આકાશપ્રદેશોને સ્પર્યા વિના જ ગમન છે. આ અનંતજ્ઞાની તીર્થકર ભગવંતે જોયેલી વાત છે, એમાં અજ્ઞાની આપણાથી આ કેમ બને ?' એમ પ્રશ્ન ન થાય. નહિતર “મુકત થયેલ જીવ અહીંજ ન રહેતાં સિદ્ધશિલા પર લોકાન્તને અડીને રહે એ પણ આપણે ક્યાં જોઈ શકીએ છીએ ? જો એ અનંત જ્ઞાનીએ પ્રત્યક્ષ દેખેલું અને કહેલું માનીએ છીએ તો આ પણ અસ્પૃશદ્ ગતિએ એક સમયની ઊર્ધ્વ પ્રાપ્તિ માનવી જ જોઈએ. આમ છતાં, અસ્પૃશદ્ગતિ સમજવા માટે યુકિત છે, સંસારી જીવ એક ગતિમાંથી છૂટી બીજી ગતિમાં જાય છે, તે ઋજુ ગતિથી એટલે કે આકાશની સમશ્રેણિમાં એક જ સમયમાં ઊંચે કે નીચે યા સીઘો દિશામાં જાય છે. આ ગમન પણ અસ્પૃશદ્ ગતિથી જ ઘટી શકે છે, કેમકે જો વચલા આકાશપ્રદેશોમાંના દરેક પ્રદેશને એકેક સમયે સ્પર્શતો ચાલે તો તો આ ગમનમાં એને અસંખ્ય ઉત્સર્પિણી–અવસર્પિણીના વર્ષો પસાર થાય ! કેમકે સમય કરતાં આકાશપ્રદેશની અતિ સૂક્ષમતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146