Book Title: Lalit Vistara Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 230
________________ પુરિવરગંધહસ્થીનું ૨૦૯ અભિન્ન નિમિત્તત્વને છોડીને વિરોધ નથી અર્થાત્ સર્વથા ભગવાનને કમળ જેવા એકેન્દ્રિય સ્વીકારી લઈએ તો વિરોધ છે, પરંતુ તે સિવાય એકેન્દ્રિયની ઉપમા દ્વારા ભગવાનમાં જે અન્ય ગુણો કહ્યા તે ગુણો સ્વીકારવામાં કોઈ વિરોધ નથી, આ કથનને સ્પષ્ટ કરતાં પંજિકાકાર કહે છે – જો એક જ ઉપમેય વસ્તુગત ધર્મ નિમિત્ત હોતે છતે ઉપમા સદશી કે વિસદશી કહેવામાં આવે તો વિરોધ થાય, જેમ પુંડરીક વસ્તુના સદશ ધર્મ દ્વારા ભગવાન પણ સર્વથા પુંડરીક સદશ જ છે તેમ કહેવામાં આવે તો વિરોધ થાય, વળી, કેટલીક વખત વિસદશ ઉપમા આપવામાં આવે છે ત્યાં પણ તે વસ્તુ સર્વથા તેનાથી વિસદશ નથી, પરંતુ અંતે સત્ રૂપે પણ સદશ છે, છતાં સર્વથા વિસદશ જ છે તેમ કહેવામાં આવે તો વિરોધ થાય, અને ભગવાનને પુરુષવરપુંડરીક ઉપમા દ્વારા સદશી અને વિસદશી ઉપમા સિદ્ધ છે; કેમ કે ભગવાન પુંડરીકની જેમ કાદવમાં થયા છે ઇત્યાદિ ધર્મોથી ભગવાન સદશ છે અને પુંડરીક એકેન્દ્રિય છે અને ભગવાન પંચેન્દ્રિય છે એ રૂપ ધર્મથી ભગવાન પુંડરીક કરતાં વિસદશ છે એ પ્રમાણે સિદ્ધ થયું. IIટા અવતરણિકા : एते च यथोत्तरं गुणक्रमाभिधानवादिभिः सुरगुरुविनेयीनगुणोपमायोग एवाधिकगुणोपमारे इष्यन्ते, अभिधानक्रमाभावेऽभिधेयमपि तथा, 'अक्रमवदसद्' इति वचनात्। एतन्निरासायाह - અવતરણિકાર્ય : અને આ=ભગવાન, યથા ઉત્તર ગુણના ક્રમને કહેનારાવાદિ એવા સુરગુરુના શિષ્યો વડે હીનગુણની ઉપમાના યોગમાં જ અધિક ગુણની ઉપમાને યોગ્ય ઈચ્છાય છે; કેમ કે અભિધાન ક્રમના અભાવમાં અભિધેય પણ તે પ્રકારે થાય અજમવાનું થાય, અને અક્રમવાળી વસ્તુ અસત્ છે એ પ્રકારે વચન છે, એના નિરાસ માટે કહે છેઃસુરગુરુના શિષ્યના મતના નિરાકરણ માટે કહે છે – પંજિકા : 'यथोत्तर मित्यादि, 'यथोत्तरं गुणानां=पुरुषार्थोपयोगिजीवाजीवधर्माणां गुणस्थानकानामिव क्रमः उत्तरोत्तरप्रकर्षलक्षणः, तेन अभिधानं भणनं, वदन्तीत्येवंशीलास्तैः, सुरगुरुविनयैः बृहस्पतिशिष्यैः, हीनगुणोपमायोगे एव=हीनगुणोपमयोपमित एव गुणे, हीनगुण इत्यर्थः, अधिकगुणोपमार्हा इष्यन्ते-अधिकगुणोपमोपन्यासेनाधिको गुण उपमातुं युक्त इत्यर्थः, तथाहि- गन्धगजोपमया महाप्रभावशक्रादिपुरुषमात्रसाध्ये मारीतिदुर्भिक्षाधुपद्रवनिवर्तकत्वे भगवद्विहारस्य साधिते, पुण्डरीकोपमया भुवनाद्भुतभूतातिशयसम्पत्केवलज्ञानश्रीप्रभृतयो निर्वाणप्राप्तिपर्यवसाना गुणा भगवतामुपमातुं युक्ता इति, कुत इत्याह- अभिधानक्रमाभावे-वाचकध्वनिपरिपाटिव्यत्यये, अभिधेयमपि-वाच्यमपि, तथा अभिधानवद्, अक्रमवत्-परिपाटिरहितम्, असत् अविद्यमानं, क्रमवृत्तजन्मनोऽभिधेयस्याक्रमोक्तो तद्रूपेणास्थितत्वात्।

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306