Book Title: Lalit Vistara Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 273
________________ ૫૨ પંજિકાર્ય :ननु इदमपि સ્તવિરોધ કૃતિ ।। આ પણ કેવી રીતે નિશ્ચિત થયું ?=આ પણ શબ્દથી શું વાચ્ય છે તે યવૃતથી કહે છે. – અનાગમ એવા પાપહેતુથી પણ=આગમ નિરપેક્ષ સેવાયેલા પાપહેતુથી પણ, અવશ્ય પાપનો સદ્ભાવ છે, એ પ્રકારની આશંકા કરીને લલિતવિસ્તરામાં કહે છે ઇતર-ઇતર અપેક્ષાવાળો=પરસ્પરના આશ્રયવાળો, કર્તૃકર્મપ્રકાર છે=કર્તૃરૂપ કારક અને કર્મરૂપ કારકના ભેદનું સ્વરૂપ છે. કઈ રીતે કર્તાકારક અને કર્મકારકને પરસ્પર અપેક્ષા છે ? તે સ્પષ્ટ કરે છે લલિતવિસ્તરા ભાગ-૧ ***** – કર્તા કર્મની અપેક્ષા રાખીને વ્યાપારવાળો થાય છે અને કર્મ કર્તાની અપેક્ષા રાખીને કર્મ છે એમ કહેવાય છે=કર્તાની ક્રિયાના વિષયરૂપ કર્મ છે એમ કહેવાય છે, જે પ્રમાણે પ્રકાશ્ય એવા ઘટાદિની અપેક્ષા રાખીને પ્રદીપ આદિ પ્રકાશક કહેવાય છે અને તે પ્રકાશક હોતે છતે=પ્રદીપાદિ પ્રકાશક હોતે છતે, પ્રકાશ્ય એવા ઘટાદિ છે અર્થાત્ પ્રકાશક એવો પ્રદીપ ન હોય તો ઘટાદિ તે સ્થાનમાં હોવા છતાં ઘટાદિ પ્રકાશ્ય છે તેમ કહેવાય નહિ, તે પ્રમાણે વિપર્યસ્ત બોધાદિ પાપહેતુવાળો પાપનો કર્તા પુરુષ અવશ્ય તેવા પ્રકારના કાર્યરૂપ પાપભાવમાં જ થાય છે, પાપનો ભાવ પણ તે પાપકર્તા હોતે છતે થાય છે અર્થાત્ પાપનો કર્તા ન હોય તો પાપનો ભાવ થાય નહિ, આથી આ સ્થિત છે=આગળ બતાવે છે એ સ્થિત છે, તે યદ્યુતથી બતાવે છે – પ્રકારાંતરથી ચેષ્ટનના અનિષ્ટત્વની સિદ્ધિ છે=આગમના વચનથી અન્ય પ્રકારે કરાયેલા ચેષ્ટનના અનિષ્ટત્વની સિદ્ધિ છે; કેમ કે હિતયોગથી વિપરીતપણું છે અને વિષય પ્રત્યે=પંચાસ્તિકાયમય જગતરૂપ વિષય પ્રત્યે અથવા સંસારવર્તી જીવોરૂપ વિષય પ્રત્યે, અહિતયોગત્વ છે=અહિત કરવાને અનુકૂળ વ્યાપારપણું છે. આ રીતે=પૂર્વમાં કહ્યું કે વિપર્યસ્ત બોધાદિ પાપહેતુવાળો પુરુષ અવશ્ય તેવા પ્રકારના કાર્યરૂપ પાપની અપેક્ષા રાખે છે એ રીતે, અચેતન પદાર્થોમાં અહિતનો યોગ કેવી રીતે થાય ? અર્થાત્ થાય નહિ; કેમ કે તત્સાઘ્ય ક્રિયાલરૂપ અપાયનો=વિપર્યસ્ત બોધવાળા પુરુષના વ્યાપારથી સાધ્ય એવા ક્રિયાના ફલરૂપ અનર્થનો, તેઓમાં=અચેતન એવા પદાર્થોમાં, ક્યારે પણ અભાવ છે=સદા અભાવ છે, જો વળી, ઉપચરિત છે=જો વળી, અચેતનમાં અહિતયોગ છે તો ઉપચરિત છે, અને તેનું=અચેતનમાં અહિતયોગનું, ઉપચરિતપણું હોતે છતે=ધર્માસ્તિકાયાદિમાં વિપરીત બોધપૂર્વક પ્રવૃત્તિ કરનારા જીવોથી થતા અહિતયોગનું ઉપચરિતપણું હોતે છતે, હિતયોગ પણ તેઓમાં=ધર્માસ્તિકાયાદિમાં, તેવો જ પ્રાપ્ત થાય છે=ઉપચરિત જ પ્રાપ્ત થાય છે અર્થાત્ ભગવાન પંચાસ્તિકાયમય લોકના હિતને કરનારા છે તે ઉપચરિત જ સિદ્ધ થાય અને સ્તવનમાં તેવા પ્રકારના હિતનો પ્રયોગ નથી=ભગવાન પંચાસ્તિકાયના ઉપચરિત હિતને કરનારા છે તેવો પ્રયોગ નથી; કેમ કે સ્તવનું સદ્ભૂતાર્થ વિષયપણું છે=પ્રસ્તુતમાં લોગહિઆણં પદ દ્વારા ગણધરોએ ભગવાનની સ્તુતિ કરી છે તે સદ્ભૂત અર્થ વિષયવાળી છે, તેથી કેવી રીતે સર્વ લોકના હિતને કરનારા ભગવાન છે ? અર્થાત્ ભગવાન સર્વ લોકના હિતને

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306