________________
વિવેચન : ભાગ-૧
૫૫
ચઉરિન્દ્રિય અપર્યાપ્તાનો ભાંગો ૧ અસ્થિર-અશુભ-અયશ અપર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિયનો ભાંગો -૧ અસ્થિર-અશુભ-અયશ અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ભાંગો -૧ અસ્થિર-અશુભ-અશ
આ રીતે ૨૫ પ્રકૃતિના બંધના ૨૫ ભાંગા થાય છે. ૨૬ પ્રકૃતિના બંધસ્થાનના ૧૬ ભાંગા હોય. બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-આપ નામ સાથે સ્થિરાસ્થિર શુભાશુભ યશાયશ ના ૮ ભાંગા થાય છે. એજ રીતે બાદર પર્યાપ્ત પ્રત્યેક ઉદ્યોત સાથેના સ્થિરા સ્થિર શુભાશુભ યશાયશના ૮ ભાંગા થાય છે.
૮ ભાંગાનું વર્ણન ૧) સ્થિર-શુભ-યશ (૨) અસ્થિર-શુભ-યશ ૩) સ્થિર- અશુભ-યશ (૪) અસ્થિર-અશુભ-યશ ૫) સ્થિર-શુભ-અયશ (૬) અસ્થિર-શુભ-અયશ સ્થિર-અશુભ-અયશ (૮) અસ્થિર-અશુભ-અયશ
આ રીતે ૮ આતપ + ૮ ઉદ્યોત = ૧૬ ભાંગા થાય છે.
નરકગતિ પ્રાયોગ્ય ૨૮ના બંધમાં સઘળી અશુભ પ્રકૃતિઓ બંધાતી હોવાથી ૧ ભાંગો થાય છે.
દેવગતિ પ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિના બંધના ૮ ભાંગા થાય છે. ૮ ભાંગા ઉપર પ્રમાણે જાણવા આ રીતે ૨૮ના બંધના કુલ ૯ ભાંગા થાય
૨૯ના બંધના કુલ ૨૪૮ ભાંગા થાય છે તે આ પ્રમાણે ૧) પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્યના ૮ ભાંગા ૨) પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાયોગ્યના ૮ ભાંગા ૩) પર્યાપ્તા ચઉરિદ્રય પ્રાયોગ્યના ૮ ભાંગા
આ દરેકના ૮ ભાંગા સ્થિરા સ્થિર-શુભાશુભ-શાયશના ઉપર પ્રમાણે જાણવા
પર્યાપ્તા તિર્યંચગતિ પ્રાયોગ્ય ર૯ના બંધના ૪૬૦૮ ભાંગા થાય છે તે આ પ્રમાણે ૪) ૬ સંઘયણ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ x ૨ સ્થિરાસ્થિર x ૨ શુભાશુભ x ૨ યશાયશ x ૨ સુભગદુર્ભગ x ૨ સુસ્વર દુઃસ્વર x ૨ આદેય અનાદય = ૪૬૦૮ ભાંગા થાય છે. ૫) પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના ૪૬૦૮ ભાંગા થાય છે. ૬ સંઘયણ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ x ૨ સ્થિરા સ્થિર x ૨ શુભાશુભ x ૨ સુભગ