________________
जीवदयाप्रकरणम्
तत एतज्ज्ञात्वा, जीवदया एव धर्मसर्वस्वम्, धर्मत एव सर्वसुखसम्भव:, लोभारम्भनिवर्तनत एव जीवदयानुपालनमित्यवगम्येत्यर्थः, आत्मनः स्वकार्येषु मा मुह्यत - प्रेत्यहितप्रयोजनेषु मा विपर्यासं गच्छत, नन्वत्रात्मस्वशब्दयोरन्यतरं निरर्थकम्, इतरेणैव गतत्वादिति चेत् ? न, साभिप्रायत्वात्प्रयोगस्य, तथाहि - गृहादिकार्यमप्यात्मीयतया मन्यन्ते प्राकृतजनाः, अतस्तद्व्यव
કરો. | ૨૨ ||
તેથી આ જાણીને, અર્થાત્ જીવદયા જ ધર્મનું સર્વસ્વ છે, ધર્મથી જ સર્વ સુખનો સંભવ છે, લોભ અને આરંભથી નિવૃત્તિ કરવાથી જ જીવદયાનું અનુપાલન થાય છે, એમ જાણીને, આત્માના સ્વકાર્યોમાં મોહ નહીં પામો = પરલોકમાં હિતકારક પ્રયોજનોમાં વિપર્યાસયુક્ત મતિવાળા ન થાઓ.
શંકા - અહીં “આત્મ” અને “સ્વ” આ બેમાંથી એક શબ્દ નિરર્થક છે, કારણ કે તેનો અર્થ બીજા શબ્દથી સમજાઈ જાય છે.
સમાધાન - એવું નથી, કારણ કે આ પ્રયોગ પાછળ ગંભીર આશય છે. તે આ રીતે - સામાન્ય લોકો ઘર વગેરેના કાર્યને પણ આત્માનું = પોતાનું જ માને છે. માટે તેનો વ્યવચ્છેદ કરવા માટે “જીવસ્વરૂપ” એવો અર્થ દર્શાવતા “સ્વ” શબ્દનો પ્રયોગ સાર્થક સમજવો..