Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
હેરઠ માસીકનો વધારે
પ્રજાહિતાર્થ મુદ્રાલય પ્રીન્ટીંગ પ્રેસ અમદાવાદ.
તૈયાર છે. તૈયાર છે! તૈયાર છે ! કોન્ફરન્સ ઓફીસની ચારવર્ષની અથાગ મહેનતનું અપૂર્વ ફળ.
શ્રી જૈન ગ્રંથાવલિ.
જુદા જુદા ધર્મ ધુરંધર જૈન આચાર્યોએ ભિન્ન ભિન્ન વિષય ઉપર રચેલા અપુર્વ ગ્રંથની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જૈન આગમ, ન્યાય, ફિલોસોફી, ઔપદેશિક, ભાષા સાહિત્ય તથા વિજ્ઞાન સંબંધી ગ્રંથનું લીસ્ટ, ગ્રંથ કર્તાએનાં નામ, શ્વક સંખ્યા, રસ્યાને સંવત, હાલ કયા ભંડારમાંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે સઘળી હકીકત બતાવનારું આ અમુલ્ય પુસ્તક છે. વિશેષ ફટનેટમાં ગ્રંથોને લગતી ઉપયોગી માહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પુષ્ટ, ગ્રંથકર્તા અને પણ, રચ્યાને સંવત અને ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સંભાળ પૂર્વક બનાવવામાં આવેલી અનુક્રમણિકાઓ આ પુસ્તકની છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તક ભંડાર, લાઇ. ઘેરી તથા સભા મંડળમાં અવશ્ય રાખવા લાયક તેમજ દરેક જૈનને ઉપયોગી છે. કીંમત માત્ર રૂ. ૩-૦-૦
શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સ.
શ્રી જૈન શ્વેતાંબર મદિરાવલિ,
પ્રથમ ભાગ. આ પુસ્તકમાં ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસરોની (ઘરદેરાસર સુદ્ધાંત ) હકીક્ત આપવામાં આવેલા છે. મુંબઇની કોન્ફરન્સ ઓફિસ તરફથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્તક જૈન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલા આપણી પવિત્ર ક્ષેત્રોની યાત્રા કરવા જનાર જેન ભાઇઓને આ પુસ્તક એક સુંદર ( ભોમીયો ) તરીકે થઈ પડવા સંભવ છે આ પુસ્તકમાં જુદી જુદી કલમો પાડી દેરાસર વાળા ગામનું નામ, નજીકનું સ્ટેશન યાને મોટાગામનું નામ તથા તેનું અંતર, દેરાસર ઠેકાણું, બાંધણી, વર્ણન, બંધાવનારનું નામ, મુળ નાયકનું નામ, બંધાયાની સાલ, પતિમાજીની સંખ્યા, નોકરોની સંખ્યા તથા મકાનની સ્થિતિ વિગેરે તમામ હકીકત સવિસ્તર લખલ કરવામાં આવી છે. આ પુસ્તક રોયલ સાઈઝ ૨૬૦ પાનાનું સુંદર પુંઠાથી બંધાવેલું છે. બહાર ગામથી મંગાવનારને ર. પા. થી. મોકલવામાં આવશે. કીંમત માત્ર રૂ. ૧૮-૦
આસિસ્ટેટ સેક્રેટરી. પાયધુની મુંબઈ નં. ૩
શ્રી જૈન શ્વેતાંબર નરન્સ