Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
અમારે સ્વીકાર.
૪૮૫
બતાવવાને ડોળ કરે છે. પણ તેમના લેખ વાંચનાર કોણ છે? કઈ જાતની કેળવણી લીધેલા તે સભ્ય છે. આ બધે જે વિચાર કરવામાં આવે તે અમે સાફ કહીશું કે આ અંક કેવળ થડા જેનેજ ઉપયોગી થશે. હમેશાં આપણે આશય ભુલી જવામાં અમારા વિદાન બુલ ખાય છે. આ અંકમાં બહેન નીર્મળાની એક કવિતા અને લેખ છે. આ ભગીનીને તેણીના પ્રયાસ માટે અમો અભિનંદન આપીએ છીએ અને ઇચ્છીશું કે આવી લેખક ભગીનીઓ વધુ નીકળી સમાજ સુધારાના કાર્યમાં સહાય થાઓ. આ અંકમાં મી. મકનજી, ડે. નહાલચંદના ચરિત્ર ચિત્ર સહીત છે અને ચિત્રો પશ્ચિમના પિપાકમાં છે. અંક અમદાવાદમાં છપાયો છે. પુરું આર્ટ પેપરનું છે. શરૂઆતમાં શ્રીમદ્ મુનિ આત્મારામ જીની સુંદર છબી આપેલી છે. લગભગ ૨૨૫ પાનાને આ અંક ઠીક છે. પર્યુષણને માટે કાલે ખાસ અંક પર્યુષણ પછીજ બહાર પાડયો છે; આપણા પર્યુષણના દિવસો ઘણા ભાગે વ્યાખ્યાન વગેરેના શ્રવણમાં જતા હોવાથી આ અંક ગમે તે વખતે બહાર પડે તે પણ તે આવકારદાયક છે.
જન. ૭-૮-૧૩. -ખાસ અંક વાંચી અત્યંત આનંદ થશે. આ વખતના તમારા “સાહસ તથા લેખકોની પસંદગી માટે ખરેખર ધન્યવાદ દઉં છું. સંકુચિત દૃષ્ટિને ત્યાગ-તથા જેન તથા
નેતર લેખકોને અપાયેલ પસંદગી -કે જેની ખાસ આવશ્યકતા હતી તે સૂત્રને થયેલ સ્વીકાર ખરેખર આલ્હાદ ઉપજાવે છે, ભલે જેનવાળે પેટની બળતરા પોતાના પેપરમાં કાઢે, પણ વિદ્વાન તુલના કર્યા સિવાય રહેતાજ નથી. પાદરા. ૧૧-૪-૧૭.
રા. મણીલાલ મોહનલાલ વકીલ. શ્રી જૈન છે. કેન્ફરન્સ હેરલ્ડને પર્યુષણ અંક–મૂર્તિપૂજક જૈનોની કોન્ફરન્સ એકીસ તરફથી બહાર પડતા આ માસિકે બે વર્ષથી પર્યુષણને ખાસ અંક બહાર પાડવા માંડયા છે. આ અંકમાં જે કાંઈ વિશિષ્ટ તત્વ રહેલું છે તે તેમાંના લેખેની વિવિધતાનું છે. જ નમરિના માનનારા વિદ્વાન લેખકે જન માસિક પત્રમાં લેખ લખવા જેટલી ઉદાર ભાવના ધરાવતા થયા છે અને જેને અન્યધર્મીઓના લેખોને નિષ્પક્ષપાત બુદ્ધિથી માત્ર સત્ય ગ્રહણ કરવાના હેતુથી સત્કારવા લાગે છે એ કાંઈ થોડા સંતેષની વાત નથી. જન વિષયને લગતા લેખે ઉપરાંત તેમાં ઘણા વિચારણીય લેખો પણ આવેલા છે. મુનિજીવન, જેનો અને કેળવણી, અકયભાવનાની જરૂર, જૈન સાહિત્યના વિકાસ માટે જેનેએ શું કરવું જોઈએ?, જેને અને ગુજરાતનું નવજીવન, સ્ત્રીઓને પોશાક, આદર્શ જૈન સાધુઓ શું જગતનું હિત ન કરી શકે, બાળક માટે સાહિત્ય, પાંજરાપોળ પ્રત્યે સમાજસેવકોનું કર્તવ્ય, જૈન ભંડારની ટીપ કેવી રાખવી જોઈએ ? યિાદિ વિષેનો એ વિચારણીય લેખામાં સમાસ થાય છે. વસંત, અમૃત, મુનિ શ્રી નાનચંદ્રજી, વગેરેના કાવ્ય લેખ પણ સારા છે. મમ મી. ગેવિંદજી મુળજી મેપાણીને અંગ્રેજી લેખ, મી. બે કી. મને હતાને “નય શલેસોફી' ને લેખ અને રા. સુશીલને અંગ્રેજી લેખ ગહન વિચારોથી યુક્ત જણાયા વિના રહેતા નથી. હિંદી અને ભાગધી લેખની પ્રસાદી પણ તેમાં છે જે ઉદાર ભાવનાથી જનોની સમક્ષ આ વિવિધ રસયુકત પત્રાવલિ પીરસવામાં આવી છે તેજ ઉદાર ભાવને તેના વાચંકામાં પ્રવેશ કરે તે સંપાદકને પરિશ્રમ સફળ થયા લેખાય.
પ્રબંધ ૪–૮–૧૩.