Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૮૦
શ્રી જૈન કાન્ફરન્સ હેરલ્ડ.
*
સુખ ભાગવવા, પણ તે મારા છે એવી - મમત-લુબ્ધતા ન રાખવી ( આપ ધનસંપત્તિ વગેરેના રક્ષક દેવ-trustee હે। તેમ મમત્વભાવ રહીત યથાર્થ રીતે વર્તવું ) અને ઉપશમ-એટલે ક્રોધ આદિ કાષ્ટ વિકાર ઉત્પન્ન થાય તે તેને મનમાંજ દાખી દેવા. એ એ લક્ષણા હોય ત્યારે શાસ્ત્ર અભ્યાસ કરવાને તે માણસ લાયક થાય છે એમ શ્રીમદ્ રાજચંદ્રનું વચન છે, નહિ તા કરણી એક તે સમજણ જુદી એવા પરિણામ આવે છે: હજારો શાસ્ત્રા વાંચ્યાથી મન ભીજતુ' નથી; પણ એ એ ભાવ પ્રગટ થયા હોય તો કાઇપણ એક પુસ્તક પરથી પણ તરી શકાય છે. પદાર્થ માત્રની ઉત્પત્તિ, સ્થિતિ તે નાશ –માત્ર એ ત્રણ શબ્દોના ભગવાન ઉચ્ચાર કરતા ને તેમના શિષ્યાને ( ગણધરોને ) ચાદપૂર્વનુ જ્ઞાન થઇ જતુ'! માટે અંતર ભીંજાયા વિના− હૃદય દ્રવ્ય ઉકળાયા ” વિના—કર્મરૂપી પર્વત ઉછળવાનું ” નથી-કાંઈ વળવાનું નથી. “ હૃદય દ્રવ્ય ઉકળાશે જ્યારે પર્વત તે ઉછળાશે ”—એ મણિભાઇનું વાક્ય છે. આપને પણ આ સમયે સત્બુદ્ધિ સુજી છે, પેાતાનાં કૃત્યોના સરવાળા-આત્મનિરીક્ષણSelfexamination કરવા લાગ્યા છે, ( જે આપના પત્ર પરથી જણાય છે તે જે જાણીનેજ આવેા લાંબા પત્ર આપનેલખ્યા છે ), એટલે ધાર્યું સાર્થક થશે એમાં નવાઈ નથી. સત્ શાસ્ત્રનું અધ્યયન કરજો; તે એવી ખાધા ’–નિયમ ધારણ કરજો કે ‘ મારૂં શરીર કુશળ હોય તેા આજથી હું દરરાજના સરેરાશ અરધા કલાક સત્શાસ્ત્રનું વાંચન કરીશ.” તે અર્થે આ સાથે “ મેાક્ષમાળા ”–પાસ્ટ મારફતે મેકલાવી છે. ચિત્ત આનંદમાં હેાય ત્યારે વાંચશેા; ભલે થાડુ' વાંચજો પણ બહુ મનન કરજો; તેને...વિનય કરજો,−ને કાંઈ ન સમજાય તો પત્રદ્વારા પૂછશા; મારાથી બની શકશે તેવા ખુલાસા મોકલાવીશ. તેમાં ૨૧ મા પાઠમાં જણાવેલી ખાર ભાવના નિરંતર ભાવવા યેાગ્ય છે. વિશેષ પાઠ ૪૫, ૫૬, ૬૭ પ્રથમ વાંચવા લક્ષ ખેંચું છું,' ભાવના—ોધ’તુ નાનુ વાર્તામય પુસ્તક જેના ઘણાખરા ભાગ ૬ મેક્ષમાળા'માં આવી ગએલ છે તે મુંબઈથી મેાકલાવીશ. સાસ્ત્ર વાંચવા, સત્સંગ કરવા-સદ્વિચાર-ભાવના પાષવાં–એના જેવા એકકે તપ નથી. તેથી અનંત કર્મની નિર્જરા થઇ જશે તે આ વેદની કર્મ પણ પાતળા પડી જશે. તથાસ્તુ !
*
ܕܕ
આ પત્ર એ ત્રણવાર નિરાંતે વાંચી જશેા. કહેવુ સહેલુ છે પણ કરવું મૂશ્કેલ છે-એમ ધારી કાયર ન થશેા; પણ અદ્ભૂત પુરૂષાર્થ કરી મન વિશુદ્ધ કરજો. એ વિશુદ્ધિને બળે આરોગ્યતા આવશે. શરીરને નીતિ——મન—ના કુવા નિકટ સબધ છે તે તમે જાણે છે. માટે ચિત્તને પ્રસન્ન તથા શુદ્ધ રાખવા બનતું કરશેા, એજ વિનતિ. લી. આપને અનન્ય સેવક લઘુ બધુ ગાવિંદજીના માનપૂર્વક પ્રણામ સ્વીકારશેાજી. લાંબા પત્રથી કાંઇ તસ્દી પડે તે ક્ષમા કરજો. ક્રી કરી એવા ભાવ તે સંજોગ મળતા નથી તેથી હમણા પુરસદ હાવાથી મનમાં આવ્યું તે ભાળે દિલે લખી કાઢયું છે. પ્રભુ આપને જલદી આરોગ્ય તથા શાંતિ-આનદ અર્પી એમ મારી તથા સર્વ મિત્રા-મેરાલી વગેરેની–અંતરની પ્રાર્થના છે- તથાસ્તુ !