Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હું ઓછો વેપાર કરે તે ઉો રાજી થાય પણ તેના ઉપર ગુસે કરતે નથી તેવી જ રીતે જ સાધુપણામાં આપણે વધુ કમાણી કરવા માટે સ્વાધ્યાય આદિ સાતે માંડલીની જેમ બને તેમ વધુ ભકિત કરવી જોઈએ. વૃદ્ધ ગ્લાનની ભકિતમાં જરાપણ પ્રમાદ ન કરવો જોઈએ. છે બીજા મહાત્મા નથી કરતા એ તરફ ધ્યાન ન આપતા મને લાભ મળે છે. મારે કમાણી કરી લેવા જેવી છે.
હમણુ અવસર છે. મારું શરીર પણ સેવા ભકિત કરવા માટે અનુકૂળ છે તે છે લેવાય તેટલો લાભ લઈ લઉં બસ એ જ ભાવનાપૂર્વક ચડતા પરિણામે કરવાથી આપણું પૂન્ય વધે અને તેથી વચન તે આદેય બને. એટલું જ નહિ પણ સં૫૪ માં આવનાર નાસ્તિક પણ આસ્તિક બની જાય. આવી સુંદર યોગ્યતા મેળવવાને એક જ ઉપાય છે. બસ ગુરૂના આશિવાદ. ગુરૂકૃપા મેળવો. - દરેક પ્રકારની આ પણ સંયમની શરીરની આત્માની ચિંતા કરનારા ગુરૂ તે મહાન છે પુણ્યાનુબંધી પુણ્યથી જ મળે છે. આપણી પરિણતિ કેમ સુધરે જેમ જેમ પર્યાય વધે છે તેમ સરળતા. નમ્રતા, નિખાલસતા, સંયમભકિત, સ્વાધ્યાય પ્રેમ. પ્રભુભકિત છવમત્રી છે વિગેરૂ ગુણે અસ્થિ મજજાવત બનતા જાય એવી ચિંતા કરનારા મળતાં આપણે પરમ છે ભાગ્યેાદય ગણાય.
ગુરૂને શાંતિ કેમ થાય આવો ભાવ રાખવાથી આવું વર્તન કરવાથી આપણી બધી અશાંતિ ટળી જશે ઘણાનાં પ્રશ્નો હોય છે. ગુરૂ મહારાજ પિતાને કંઈ આવડતું નથી તે અમને શું તારવાના ? એમનું જીવન કેવું છે? વિગેરે... - આ પ્રશ્નના જવાબ આપણા પરમોપકારી પૂએ દશવૈકાલિક ઉત્તરાધ્યયન જેવા ઉપ-
કારક ગ્રંથોમાં ખૂબ જ સચોટ જણાવ્યું છે કે ગુરૂને ઓછું આવડતું હોય, ઓછું જ્ઞાન છે હિય. તે પણ તેમના પ્રત્યે શુભ અનુબંધ રાખવાંથી આપણે વિકાસ નકકી છે અને જે એમની ઉપેક્ષા કે અનાદર કરવામાં આવે અને તેનાથી અશુભને અનુબંધ પડે તે ભભવની રખડપટ્ટી નકામી છે.
આપણા મનને ખૂબ જ સ્થિર કરીને વિચારવાનું છે કે જ્યારે મેં સંયમ લેવાની ઈરછા કરી ત્યારે આ ગુરૂ મહારાજે જ મને તાર્યો તે વખતે મારા ભાવે કેવા હતા મારુ જીવન કેવું હતું. આજે કેવું છે. હવે મારે શું કરવા જેવું છે બસ આમ વિચારણ કરશું તે કદાચ ભૂલ થઈ હશે તે પાછા ફરવાનું બનશે. અને જે નહિ થઈ હોય તો R વિકાસમાં વેગ મળશે.
આ કાળમાં પણ પૂજ્ય મહાત્માઓ છે કે જેઓએ પોતાને વિચાર કર્યો જ નથી. છે બસ મારા ગુરૂ મ. અને જે પસંદ તે મને પસંદ. મારા ગુરૂ મ. ની જે ઈચ્છા તે 8 મારી ઈચ્છા છે મારું બધું જ તેમનું છે. આપણું આવું જીવન હશે તે સંપર્કમાં છે આવનાર .વગર ઉપદેશે ઘણું મેભવી જશે. સૌ આવી દશા કેળવીને વહેલામાં વહેલું 8 કલ્યાણ સાધે એ જ સદાની શુભાભિલાષા.
S