________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાતમાં ઉત્પત્તિ થયેલી લાગે છે, મારવાડમાં રૂપાલીય ગચ્છની ઉત્પત્તિ ઘણા ભાગે સંભવે છે, પાટણ પાસે વાયડગામમાં રાસિદ્ભસૂરિએ તથા જીવદેવસૂરિએ વાયડ જ્ઞાતીને જૈનધમી બનાવીને (વણક તથા બ્રાહ્મણને જેનધમી બનાવીને) વાયટીય ગચ્છની ઉત્પત્તિ કરેલી છે. વાયડ વાણીયાઓ પહેલાં જેનધમી હતા ને તે વાયટી ગચ્છના હતા પણ હાલ જેન ગુરૂઓના ઉપદેશના અભાવે તે મેશ્રી થયેલા છે. ચાણસમામાં પુનમીયા ગચ્છના મહાત્માઓનાં ૨-૩ ઘર છે. તેઓની વહીમાં વાયડ વાણીયાઓ જૈન હતા એમ લખ્યું છે. પાટણમાં પુનમીયા ગછની ઉત્પત્તિ સંભવે છે, પુનમીયા ગચ્છના શ્રીપૂ હજી વિદ્યમાન છે, ને તે ગચ્છના મહાત્માઓનાં ચાણસ્મા, વિજાપુર, લાલ ને વગેરેમાં સ્થાન છે. ગુજરાતના વિજાપુરમાં તપાગચ્છની ઉત્પત્તિ થઈ છે, ને ચિતેડગઢના રાણાએ શ્રી તપાગચ્છનું બિરૂદ શ્રીજગચંદ્રસૂરિજીને આપ્યું છે. વીશાવલગચ્છની ઉત્પત્તિ ગુજરાતમાં સંભવે છે.
For Private and Personal Use Only