________________ . ભગવછકરાચાર્ય ચરિત. - થયો હતે. આપે કૃપા કરી મારો ઉદ્ધાર કર્યો. સંસારના લોકો એકાંત હાસક્ત છે તેઓ ચંચલ નયના પ્રમદા લોકોની લીલાલહરીમાં નિમગ્ન * છે જેથી તે લોકે સંપૂર્ણ આત્મવિસ્મૃત છે એથી કેવી રીતે તેઓ આ પના કૃપા કટાક્ષને લાભ કરે ! અને કેવી રીતે તેઓ મોક્ષમાર્ગના પથિક *થાય, હું આજ આપના કૃપામૃતપાનથી ધન્ય થયો છું. હવે સ્ત્રી, પુત્ર, : વાસભવન, ગૃહસ્થોચિત કર્મ સઘળાં પરિત્યાગ કરી આપના ચરણાવિંદમાં - શરણપન્ન થયો છું. પ્રભો ! આ કિંકરને આજ્ઞા આપે, હવે મારે શું કરવાનું છે ! એમ. ઉભયભારતી સાથે શાસ્ત્રીય વિતર્ક. , શંકરે, મંડનમિશ્રનાં વચન સાંભળી તેના ઉપર અનુગ્રહ કરવાના - આશયે, તેની પત્ની તરફ એકવાર દષ્ટિપાત કર્યો. ત્યારે મંડન મિશ્રની પત્ની ઉભયભારતી શંકરનો અભિપ્રાય જાણ બોલી " યતિયર ! હું આપને મનોગત ભાવ જાણી ગઈ છું. હાલ હું જે અવસ્થામાં આવી પડી છું અને તેથી જે પરિણામ આવશે તે અનેક કાળ પૂર્વથી જાણીતી છું : હું. જ્યારે બાળિકા હતી ત્યારે એક દિવસ કોઈ એક તપસ્વી અમારે ઘેર આવ્યો હતો. મારી જનનીએ, યથાવિધિ યાધ અર્બ વિગેરે દ્વારા તેની પૂજા કરી હતી જેથી યતિએ પ્રસન્નચિત્ત થઈ તેની પુજા ગ્રહણ કરી. ત્યાર પછી મારી જાનીએ કૃતાં જળ થઈ તે યતિને મારા ભવિષ્ન શુભા શુભ સારૂ પુછયું હતું. તે યતિએ, આજ સુધી મારી બાબતમાં જે ઘટયું તે સઘળું મારી જનનીને કહ્યું હતું તેની અંદર યતિએ એક અતિ વિસ્મય જનક ઘટના મારી જનનીને કહી સંભળાવી હતી. યતિએ તે ઘટના બાબત એવું કહ્યું હતું કે " વેદવિધી બાદ્ધ વિગેરે દુષ્ટ વાદીઓ પ્રબળ થઈ પૃથ્વીમાં સઘળો વૈદિક માર્ગ ઉત્સન્ન કરે છે. એ સઘળી બાબતો ઉદ્ધાર કરવા સારૂ વેદસૃષ્ટા બ્રહ્મના મંડનમિશ નામે એક પંડીત પૃથ્વી ઉપર અવતરેલો છે તારી આ પુત્રી, મંડનમિશને પતિરૂપે વરી જુદી જુદી જાતના યજ્ઞયાગ કરશે. અનેક પુત્ર સંતાનને પ્રસવ આપશે અને ભારે . સુખથી કાળાતિપાત કરશે ત્યાર પછી મુમતાવલંબી બાદ્ધ લોકે. યુક્તિ .. બળે ઉપનિષદના પ્રતિપાદ્ય પરબ્રહ્મનું એકદમ નિરાકર કરશે. એ સઘળા સિંદ્ધાંતનું ખંડન કરી અદ્વૈતવાદનું સ્થાપન કરવા સારૂ મહાદેવને અરો P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust