Book Title: Bhagwan Shankaracharya Charit
Author(s): Savailal Chhotamlal Vora
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 150
________________ 'ફિવિજય યાત્રા નહિ તો અમારા તકરૂપ વજના ભયંકર આઘાતથી તમારા પક્ષની રક્ષા કરો ! ભટ ભાસ્કર! પદ્મપાદના અવજ્ઞા પૂર્ણ વાકયો સાંભળી થોડેક કોપીવિષ્ટ થઈ બોલ્યો, " અરે યતિવર ! તારો ગુરૂ મારા સામર્થ્યનેવાકીગાર નહિ હોય, જે તે વાકેફગાર હત તે મારી સાથે તર્ક યુદ્ધમાં પ્રવૃત્ત થવાનું તે કહેવરાવત નહિ. મારા વાકય કૌશલથી કણાદ અને કપિલનાં સઘળાં વાકય તેજહીન થાય છે, તે તારા ગુરૂની પંડિતાઈ મારી ચા હી-' ' સાબમાં ? ભટ્ટ ભાસ્કરનાં ગર્વિત વાકયે સાંભળી ફરીથી પદ્મપાદે કહ્યું મહાશય ! તમે જે બોલો છો તે સાચું ત્યારે એ પણ તમારે નિશ્ચય જાણી લેવું કે જે અસ્ત્ર પર્વતનું વિદારણ કરે તે અસ્ત્ર કોઈ દિવસ વમણિને ભેદી શકે નહિ. હાલ હું તમારી સાથે થયા વાક્યો બોલી મારો અમુલ્ય સમય કહાડવા માગતો નથી. સંક્ષેપમાં કહું છું કે મારા ગુરુ પાસે આ વિવાથી જ તમને સઘળી ખબર પડશે ! એમ બોલી પદ્મપાદ ત્યાંથી ચાલ્યો : ગ. ભટ્ટ ભાસ્કર પણ ઉતાવળથી શંકરની પાસે આવી પહોંચ્યા. ત્યાર પછી શંકર અને ભટ્ટ ભાસ્કર વચ્ચે શાસ્ત્રવાદના તર્કવિતર્ક ચાલ્યા. બં નેના વાકય વિન્યાસમાં નિપુણતા જોઈ ત્યાં હાજર રહેલા. પંડિત વિસ્મય પામ્યા. એ બનેમાં વધારે પંડિત કોણ છે. એવો નિશ્ચય પહેલાં કેઈ. કરી શકયું નહિ. છેવટે શંકરે કરેલ અભિનવ અને સુતિક્ષણ યુતિથી ભટ્ટ ભાસ્કર સહસા ખંભિત થયો. ત્યાર પછી અખંડનીય યુક્તિદ્વારા તે અદૈત મતનું ખંડન કરવા પ્રવૃત્ત થયો, લાંબા સમય સુધી બનેને વાદ વિવાદ ચાલ્યો. છેવટે ભાષ્યકાર શંકરે. અધીવર ભટ્ટ ભાસ્કરને શાસ્ત્ર ચર્ચામાં હરાવી દીધો. ત્યારપછી શંકરે. અવંતી પ્રદેશના સઘળા પંડિતોને શાસ્ત્રવાદમાં પરાસ્ત કરીને તે પ્રદેશમાં અદૈત મતની સ્થાપના કરી. એ. પ્રદેશના સઘળા પંડિતો વિનયથી નમ્ર મસ્તકે શંકરના શરણાર્પન્ન થયા. - . ત્યાર પછી શંકર, શિખ્યો અને અનુચર સાથે ઉજયિની નગરી છોડી પગપાળા જતાં જતાં કેટલાક સમય પછી બાહલીક'દેશમાં આવ્યો તે ઠેકાણે કેએક નગરમાં રહી શિષ્ય લોકોને સૂવભાગનો ઉપદેશ આપતા હતા. તે વખતે “શંકર એ પ્રદેશમાં અદ્વૈત મતને પ્રચાર કરવા આવેલ છે* બાહલીક અન્ય ત પુરાતન પ્રદેશ છે તેને બલખ કહે છે વેદમાં પણ બાટલીક દેશનો ઉલ્લેખ જોવામાં આવે છે તે ગાંધાર [વર્તમાન કંદહાર) દેશના ઉત્તરું પશ્ચિ મ અફઘાનીસ્તાનને અંતર્ગત છે શંકરના જીવિતકાળમાં તે સ્થળે મહામર્દય ધર્મ નહે તે સમયે એ સઘળા દેશોમાં હીંદુનીજ વસતી હતી. . .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227