Book Title: Bhagwan Shankaracharya Charit
Author(s): Savailal Chhotamlal Vora
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 207
________________ 178 * ભગવચ્છકરાચાર્ય ચરિત. : (ખ) સત્કાર્યવાદ-મૃતિ કહે છે જે આ વિશ્વ અનાદિકાળથી વિદ્યમાન છે. . આરંભવાદી કહે છે જે આ પૂલ જગત્ ઉત્પત્તિના પ ફ્યૂલાકારે હતું નહિ. અને આ જગત્ની વિચિ ત્રતા, પરમાણુના સંગ વિયેગથી થાય છે, એ વાદના રદીયામાં સાંખ્યકાર બોલે છે જે ક્રિયાગુણાત્મિક પ્રકૃતિ નિભિન્નઆને કારે આકારિત થાય છે. આ બન્નેના મૂળમાં એક જ વાત છે. વિજ્ઞાનભિક્ષુ યોગસૂત્રના વાતિકમાં કહે છે કે વૈશેષિકે કહેલા પરમાણુને અમે “ગુણ” શબ્દથી માનીએ છીએ એ બન્ને દર્શન શાસ્ત્રની આલોચના કરવાથી માલુમ પડે છે કે નયાયિક જે સ્થળે અનુમાનિક નિત્ય પરમાણુને સ્વીકાર કરે છે તે સ્થળે સાંખ્યવાદી પ્રકૃતિને અધિષિત કરે છે, નિયાયિકના પરમાણુ અને સાંખ્યવાદીની પ્રકૃતિ અનાદિકાળથી વર્તમાન. ન્યાય અને વૈશેષિક દર્શન શાસ્ત્ર કરતાં સાંખ્ય દર્શન અછતવ સંબંધે અધિક દૂર અગ્રસર થયેલ છે, શી રીતે જગતની સૃષ્ટિ થઈ છે, એ હકી કત સાંખ્ય શાસ્ત્રમાં સારી રીતે વિચિત છે, સૂમનું કેવી રીતે ચૂલમાં પરિણામ થયું. અર્થાત્ સૂક્ષમ શી રીતે સ્થૂલી ભૂત થયું તેનું તત્ત્વ સાંખ્ય શાસ્ત્રમાં ઠીક રીતે વિવૃત છે આ જગતું પ્રકૃતિનું પરિણામ છે, એમ સાંખ્યવાદી માને છે. તેથી સાંખ્ય શાસ્ત્રને મત પરિણામ બાદ કહેવાય છે. અવિદ્યમાન અથવા અસની સાથે કોઈ દિવસ વિદ્યમાનને સંબંધ હોય નહિ એથી કાર્ય વિદ્યમાન અથવા સત્ સ્વીકાર કરવું જોઈએ. સાંખ્યમાં પ્રધાન વા પ્રકૃતિને વિશ્વ કાર્યનું ઉપાદાન કારણ ઠરાવેલ છે. સાંખ્યના મતને તે સારૂ સત્કાર્યવાદ કહે છે. અસ-જે વાસ્તવિક રીતે વિદ્યમાન નથી તેની અભિવ્યક્તિ હોય નહિ. અમને કોઈ સત્ કહી શકે નહિ. એ. માટે સાંખ્યકાર કહે છે કે રૂપનામ વિશિષ્ટ સ્થૂલ જગત્ ઉત્પન્ન થયા પહેલાં સૂમ ભાવે અથાત્ અવ્યક્ત અવસ્થામાં હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227