________________
૨૬
શ્રુત ભક્તિ ( પૂ. આચાર્ય શ્રી ઈશ્વરલાલજી મ. સા. ની આજ્ઞા અનુસાર લખનાર ) ૬. સ. ના જૈન મુનિ શ્રી દયાનંદજી મહારાજ
તા. ૨૩-૬-૫૬ શાહપુર, અમદાવાદ. આજે લગભગ ૨૦ વર્ષથી શ્રદ્ધેય પરમપૂજ્ય, જ્ઞાન દિવાકર પ. મુનિશ્રી ઘાસીલાલજી મ. ચરમ તીર્થંકર ભગવાન મહાવીરના અનુત્તર અનુપમ ન્યાય યુકત, પૂર્વાપર અવિધ, સ્વપર કલ્યાણકારક, ચરમ શીતળ વાણીના દ્યોતક એવા શ્રી જિનાગમ પર પ્રકાશ પાડે છે. તેઓશ્રી પ્રાચીન, પોત્ય સંસ્કૃતાદિ અનેક ભાષાના પ્રખર પંડિત છે અને જિન વાણીને પ્રકાશ સંસ્કૃત, ગુજરાતી અને હિન્દીમાં મૂળ શબ્દાર્થ, ટીકા, વિસ્તૃત વિવરણુ સાથે પ્રકાશમાં લાવે છે એ જૈન સમાજ માટે અતિ ગોરવ અને આનંદના વિષય છે.
ભ॰ મહાવીર અત્યારે આપણી પાસે વિદ્યમાન નથી. પરંતુ તેમની વાણી રૂપે અક્ષરદેહ ગણુધર મહારાજોએ શ્રુત પર પરાએ સાચવી રાખ્યું. શ્રુત પરંપરાથી સચવાતુ જ્ઞાન જ્યારે વિસ્તૃત થવાના સમય ઉપસ્થિત થવા લાગ્યા ત્યારે શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે વલ્ભીપુર-વળામાં તે આગમાને પુસ્તક રૂપે આરૂઢ કર્યાં. આજે આ સિદ્ધાંતે આપણી પાસે છે. તે અ માગધી પાલી ભાષામાં છે. અત્યારે આ ભાષા ભગવાનની, દેવાની તથા જનગણની ધમ ભાષા છે. તેને આપણા શ્રમણે અને શ્રમણીએ તથા મુમુક્ષુ શ્રાવક શ્રાવિકાએ મુખપાઠ કરે છે; પરન્તુ તેના અર્થ અને ભાવ ઘણા ઘેાડાઓ સમજે છે.
જિનાગમ એ આપણાં શ્રદ્ધેય પવિત્ર ધમ સૂત્ર છે. એ આપણી આંખે છે. તેના અભ્યાસ કરવા એ આપણી સૌની–જૈન માત્રની ક્જ છે. તેને સત્ય સ્વરૂપે સમજાવવા માટે આપણાં સદ્ભાગ્યે જ્ઞાન દિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજે સત્સ`કલ્પ કર્યાં છે. અને તે લિખિત સૂત્રાને પ્રગટાવી શાોદ્ધાર સમિતી દ્વારા જ્ઞાન વહેતી કરી છે. આવા અનુપમ કાર્યોંમાં સકળ જૈનેાના સહકાર અવશ્ય હોવા ઘટે અને તેને વધારેમાં વધારે પ્રચાર થાય તે માટે પ્રયત્ના કરવા ઘટે.
પરબ
ભ॰ મહાવીરને ગણધર ગૌતમ પૂછે છે કે હું ભગવાન; સૂત્રની આરાધના કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે ? ભગવાન તેના પ્રતિ ઉત્તર આપે છે કે શ્રુતની આરાધનાથી જીવાના અજ્ઞાનના નાશ થાય છે. અને તેએ સંસારના કલેશેથી નિવૃત્તિ મેળવે છે. અને સંસાર કલેશેથી નિવૃત્તિ અને અજ્ઞાનને નાશ થતાં મેક્ષ ફળની પ્રાપ્તિ થાય છે.
આવા જ્ઞાન કાર્યમાં મૂર્તિપૂજક જૈના, દિગબરો અને અન્ય ધર્મીએ હજારો અને લાખા રૂપીયા ખર્ચે છે. હિન્દુ ધર્મ માં પવિત્ર મનાતા ગ્રંથ ગીતાના સેંકડો નહિ પણ હજારા ટીકા પ્રથા દુનિયાની લગભગ સવ ભાષાઓમાં પ્રગટ થયા છે. ઇસાઇ ધર્માંના પ્રચારકે તેમના પવિત્ર ધમ ગ્રન્થ ખાઈબલના પ્રચારાર્થે તેનું જગતની સ ભાષાઓમાં ભાષાંતર કરી, તેને પડતર કરતાં પણ ઘણી એછી કિંમતે વેચીધ`