________________
૩૪. શ્રી દશવૈકાલિક તથા ઉપાસક દશાંગ સૂ ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલાં પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત શ્રી ઉપરોકત બે સુત્ર જૈન ધર્મ પાળતા દરેક ઘરમાં રહેવા જ જોઈએ. તે વાંચવાથી શ્રાવક ધર્મ અને શ્રમણ ધર્મના આચારનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને શ્રાવકે પિતાની નિરવા અને એષણિય સેવા શ્રમણ પ્રત્યે બજાવી શકે છે. વર્તમાનકાળે શ્રાવકેમાં તે જ્ઞાન નહિ હોવાને લીધે અંધશ્રદ્ધાએ શ્રમણ વર્ગની વૈયાવચ્ચ તે કરી રહેલ છે. પરંતુ “ક૯૫ શું અને અક૫ શું' એનું જ્ઞાન નહિ હોવાને લીધે પિતે સાવધ સેવા આપી પોતાના સ્વાર્થને ખાતર શ્રમણ વર્ગને પિતાને સહાયક થવામાં ઘસડી રહ્યા છે અને શ્રમણ વર્ગની પ્રાયઃ કુસેવા કરી રહ્યા છે. તેમાંથી બચી લાભનું કારણ થાય અને શ્રમણને યથાતથ્ય સેવા આપી તેમને પણ જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરવામાં સહાયક થઈ પિતાના જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરી સુગતિ મેળવી શકે. શ્રમણની યથાતથ સેવા કરવી તે અવશ્ય ગૃહસ્થની ફરજ છે.
પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ. શાસ્ત્રોદ્ધારનું અનુવાદન ત્રણ ભાષામાં રૂડી રીતે કરી રહ્યા છે અને રૂપીયા ૨૫૧] ભરી મેમ્બર થનારને રૂા. ૪૦૦-૫૦૦ લગભગ ની કીંમતના બત્રીસે આગ ફી મળી શકે છે તે તે રૂ. ૨૫૧ ભરી મેમ્બર થઈ બત્રીસે આગમે દરેક શ્રાવકઘરે મેળવવા જોઇએ. બત્રીસે શાસ્ત્રોના લગભગ ૪૮ પુસ્તકે મળશે. તે તે લાભ પિતાની નિર્જરા માટે પુન્યાનુંબંધી પુન્ય માટે જરૂર મેળવે. ઉપરોકત બંને સૂત્રેની કીંમત સમિતિ કંઈક ઓછી રાખે તે હરકોઈ ગામમાં શ્રીમંત હેય તે સુ લાવી અરધી કીંમતે, મફત અથવા પૂરી કીંમતે લેનારની સ્થિતિ જોઈ દરેક ઘરમાં વસાવી શકે.
એક ગૃહસ્થ - નોંધ-ઉપરની સૂચનાને અમે આવકારીએ છીએ. આવાં સૂત્રે દરેક ઘરમાં વસાવવા યોગ્ય તેમજ દરેક શ્રાવકે વાંચવા ગ્ય છે. તંત્ર
“રત્નત ” પત્ર તા. ૧-૧૦-૧૭