Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 97
________________ ક્ષેત્રને વિષે બિરાજતા સાધુ સાધ્વીજીને કરું છું. તેઓ જઘન્ય હોય તે બે હજાર ક્રોડ સાધુ-સાધ્વી, અને ઉત્કૃષ્ટ હોય તે નવ હજાર ક્રોડ સાધુ-સાધ્વી, તેમને મારી તમારી સમય સમયની વંદના હેજે. તે સ્વામી કેવા છે? પાંચ મહાવ્રતના પાલણહાર છે, પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએ સહિત, છ કાયના પિયર, છ કાયના નાથ, સાત ભયના ટાલકુહાર, આઠ મદના ગાલણહાર, નવાવાડવિશુદ્ધ બ્રહ્મચર્યના પાલણહાર, દશવિધ યતિધર્મના અજવાલક, બાર ભેદે તપશ્ચર્યાના કરણહાર, સત્તર ભેદે સંયમના ધરણહાર, બાવીશ પરિષહના તણુહાર, સતાવીશ સાધુજીના ગુણે કરી સહિત, ૪૨-૪૭-૯૬ દોષ રહિત આહાર પાણીના લેવણહાર, બાવન અનાચારના ટાલણહાર, સચિત્તના ત્યાગી, અચેતના ભેગી, કંચન કામિનીના ત્યાગી, માયા-મમતાના ત્યાગી, સમતાના સાગર, દયાના આગર, આદિ અનેક ગુણે કરી સહિત છે. ધન્ય સ્વામીનાથ ! આપ ગામ, નગર, પૂર, પાટણને વિષે બિરાજે છે, હું અપરાધી, દીન કિકર, ગુણહીન અહીં બેઠે છું. આજના દિવસ સંબંધી આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને વિષે અવિનય, આશાતના અભક્તિ, અપરાધ કીધે હોય તે હાથ જોડી, મસ્તક નમાવી ભુજે ભુજે કરી ખમાવું છું. (અહીં તિખુત્તાને પાઠ ત્રણ વખત કહેવો.) અને સાધુ-સાધ્વીજી બિરાજતાં હોય, તે નીચેની ગાથા બેલી ત્રણ વખત સવિધિ વંદના કરવી સાધુ વંદે તે સુખીયા થાય, ભવો ભવના તો પાતક જાય, ભાવ ધરીને વંદે જેહ, વહેલો મુકતે જાશે તેહ. છઠ્ઠાં ખામણા (છઠ્ઠાં ખામણ અઢીદ્વીપ માંહે અઢીદ્વીપ બહાર અસંખ્યાતા શ્રાવક-શ્રાવિકાને કરું છું. તે શ્રાવકજી કેવા છે? * હુંથી તમથી, દાન, શીયળે, તપે, ભાવે, ગુણે કરી અધિક છે, બે વખત આવશ્કય પ્રતિક્રમણના કરનાર છે, મહિનામાં બે, ચાર અને છ પિષાના કરનાર છે, સમકિત સહિત બાર વ્રતધારી, અગિયાર પડિમાના સેવણહાર છે, ત્રણ મનોરથના ચિંતવનાર છે, દુબળા-પાતળાવની દયાના આણનાર છે, જવ અજીવ આદિ નવ તત્વના જાણનાર છે, એકવીશ શ્રાવકના ગુણે કરી સહિત છે, પરધન પર કાબર લેખે છે. પરી માત બેન સમાન લેખે છે, દઢધમ, પ્રિયધમીં, દેવતાના ડગાવ્યા ડગે નહિ એવા છે, ધર્મનો રંગ હાડ હાડની મજાએ લાગે છે. એવા શ્રાવક, શ્રાવિકા, સંવર, પાષા, પ્રતિક્રમણમાં બિરાજતા હશે તેમને આજના દિવસ સંબંધી અવિનય, આશાતના, અભકિત, અપરાધ કર્યો હોય, તે હાથ જોડી, માન માડી, મસ્તક નમાવી. ભુજે ભુજે કરી ખમાવું છું) સાધુ-સાધ્વીને વાંદુ છું, શ્રાવક-શ્રાવિકાને ખમાવું છું, ચેરાશી લાખ અવાજેનિના જીવને ખમાવું છું - ૭ લાખ પૃથ્વીકાય, ૭ લાખ અપકાય, ૭ લાખ તેઉકાય ૭ લાખ વાયુકાય, ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાય, ૨ લાખ બે ઇંદ્રિય, ૨ લાખ ઈહિય૨ લાખ ચારદિય, ૪ લાખ નારદી, ૪ લાખ દેવતા, ૪ લાખ તિર્યંચ પંચેન્દ્રિય, ૧૪ લાખ મનુષ્ય જાતિ, એ ચોરાશી લાખ છવાજેનિના જીવને હાલતાં, ચાલતાં, ઉઠતાં, બેસતાં, જાણુતાં, અજાણતાં, હયા હોય, હણાવ્યા હોય, શ્રી આવશયક સુત્રમ ભાગ

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111