________________
૨૯
શ્રી ઉપાશક દશાંગ સૂત્રને માટે અભિપ્રાય.
મૂળ સૂત્ર તથા પૂ. મુનિશ્રી ઘાસીલાલજીએ બનાવેલ સંસ્કૃત છાયા તથા ટૂંકા અને હિંદી તથા ગુજરાતી-અનુવાદ સહિત.
પ્રકાશક- અ. ભા. વે. સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, ગરેડીઆ કુવા રાડ, ગ્રીન લેાજ પાસે, રાજકોટ. (સૌરાષ્ટ્ર) પૃષ્ઠ ૬૧૬ બીજી આવૃત્તિ એવડું (માટુ) કદ. પાકું પુઠુ, જેકેટ સાથે સને ૧૯૫૬ કિંમત ૮-૮-૦
આપણા મૂળ ખાર અંગ સૂત્રેામાંનુ ઉપાશકદશાંગ એ સાતમું અંગ સૂત્ર છે, એમાં ભગવાન મહાવીરના દશ ઉપાસકે શ્રાવકોનાં જીવનચરિત્રા આપેલાં છે તેમાં પહેલુ ચરિત્ર આન ંદ શ્રાવકનું આવે છે.
આનંદ શ્રાવકે જૈન ધર્મ અંગીકાર કર્યાં અને બારવ્રત ભગવાન મહાવીર પાસે અંગીકાર કરી પ્રતિજ્ઞા ( (પ્રત્યાખ્યાન ) લીધાં તેનું સવિસ્તર વર્ણન આવે છે. તેની અંતર્યંત અનેક વિષયે જેવા કે, અભિગમ, લેાકાલેાકસ્વરૂપ, નવતત્ત્વ, નરક દેવલેાક વગેરેનું વર્ણન પણ આવે છે.
આનંદ શ્રાવકે બાર વ્રત લીધાં તે ખારે વ્રતની વિગત અતિચારની વિગત વગેરે બધુ આપેલુ છે. તે જ પ્રમાણે બીજા નવ શ્રાવકેાની પણ વિગત આપેલ છે.
આનંદ શ્રાવકની પ્રતિજ્ઞામાં અશ્ચિંત ને શબ્દ આવે છે. મૂર્તિપૂજક મૂર્તિપૂજા સિદ્ધ કરવા માટે તેને અ અરિહંતનું ચૈત્ય (પ્રતિમા) એવા કરે છે. પણ તે અર્થ તદન ખાટા છે. અને તે જગ્યાએ આગળ પાછળના સંબ ંધ પ્રમાણે તેના એ ખોટો અર્થ બંધ બેસતે જ નથી તે મુનિશ્રી ઘાસીલાલજીએ તેમની ટીકામાં અનેક રીતે પ્રમાણેા આપી સાબિત કરેલ છે અને પિશ્ચંત સેવારૂં ને અર્થ સાધુ
થાય છે તે ખતાવી આપેલ છે.
આ પ્રમાણે આ સૂત્રમાંથી શ્રાવકના શુદ્ધ ધર્માંની માહિતી મળે છે તે ઉપરાંત તે શ્રાવકાની ઋદ્ધિ, રહેઠાણુ, નગરી વગેરેના વર્ણના ઉપરથી તે વખતની સામાજિક સ્થિતિ, રીતરિવાજ રાજવ્યવસ્થા વગેરે બાબતેની માહિતી મળે છે.
એટલે આ સૂત્ર દરેક શ્રાવકે અવશ્ય વાંચવું જોઈએ એટલું જ નહિ પણ વારંવાર અધ્યયન કરવા માટે ઘરમાં વસાવવું જોઇએ.
પુસ્તકની શરૂઆતમાં વમાન શ્રમણુ સંધના આચાર્યશ્રી આત્મારામજી મહારાજનું સ ંમતિ પત્ર તથા બીજા સાધુએ તેમજ શ્રાવકેાના સંમતિ પત્ર આપેલા છે, તે સૂત્રની પ્રમાણભૂતતાની ખાત્રી આપે છે.
“ જૈન સિદ્ધાંત” જાન્યુઆરી, ૫૭