Book Title: Arvachin Gujarati Kavya Sahitya
Author(s): Ramnarayan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 25
________________ ૧૮ ] અર્વાચીન ગુજરાતી કાચસાહિત્ય સાહિત્ય ઉપર પણ થઈ. એ જ અસરથી ભેાળાનાથ સારાભાઈ એ અલંગ ગાયા, અને કાન્તે મરાઠી ચાલની સાખીએ અને અંજની ગીતા રચ્યાં. ભાળાનાથભાઈના સંબ ંધમાં વિશેષ કારણ એ પણ હાય કે તેમણે મુંબઇની પ્રાર્થનાસભામાં ગંભીર ધર્મભાવનાના અભંગે સાંભળ્યા હાય અને તેથી તેઓ અમદાવાદની પ્રા નાસમાજમાં તેવા સલગા ગાવા પ્રેરાયા હૈાય. આવી અસર સાહિત્યના અને જીવનના ખીજા પ્રાંતામાં પણ થયેલ છે. સરકારી નિશાળામાં ભણાવવાનાં પાઠચપુસ્તકા પ્રથમ મરાઠીમાં થયાં અને તેના ગુજરાતી તરજુમાનાં આપણાં પાઠ્યપુરતા થયાં. પહેલું મરાઠી વ્યાકરણ લખાયું અને પછી તેનેા તરજુમા થઈ ગુજરાતી વ્યાકરણુ બન્યું તે પ્રથમ આપણી શાળાઓમાં ચાલતું. ૧૧ પહેલાં નાટકા મરાઠીમાં ભજવાયાં, અને એ મરાઠી કંપનીનાં નાટકા જ કદાચ સૌથી પહેલાં ગુજરાતે જોયાં,૧૨ જેની અસરના અવશેષ તરીકે કદાચ અત્યારે પદ્મ નાટકની શરૂઆતમાં સૂત્રધાર ચકરી દક્ષિણી પાઘડી પહેરીને આવે છે. મરાડીની આપણા ઉપર આવી અસર થાય તે તે વખતે સ્વાભાવિક હતું. નવાઇ તે એ છે કે અત્યારે મરાઠી વામયની કાઇ પણ વિશિષ્ટ અસર નીચે આપણે છીએ નિહ. જેમ નર્મદાશંકરે નવા તરીકે યેાજેલુ` વીરવૃત્ત' દ્વાવણીના જ વિસ્તાર છે, તેમ સદ્ગત હ. હ. ધ્રુવે પ્રયેાજેલ મધુભુત્ વૃત્ત પણ એક પ્રકારની લાવણીના જ વિસ્તાર છે. બન્નેના દાખલા પાસે પાસે મૂકવાથી તે જાઈ આવશે. મધુમૃત વૃત્ત રાર્ક ક્રાણુ ચાતક વિજ્ર વસમેા દાહ સહી મેશ ચડવા ચઢવી વિણ કાણુ ગાળે વિરહનિશા અનિમેષ ? વિના ચારી પા ભક્ષણ શકે કાણ કરી લેસ ? ૧૧. સાઠીના સાહિત્યનું દિગ્દર્શન, પૃ. ૧૩-૧૪. ૧૬. પ્રસ્થાન પૃ. ૭, ગુજરાતી ર’ગભૂમિ, પૃ. ૩૪૧.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120