________________
૪ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
ને નાંગર્યાં જઈ ને ડાલનશૈલીના શબ્દમ ડલમાં. મે પગલું ચે પાડયું નથી. ૧૬ અન્યત્ર કહે છેઃ શૈલી અપદ્ય છે : અગદ્ય છેઃ અપદ્યાગદ્ય છે. નથી : તે સદાયે ઉચ્ચાયુ છે કે એ ગદ્ય નથી. ” પણ આ વનને તેઓ નકારાત્મક કહે છે. પેાતાની શૈલીમાં એક વિશિષ્ટ હકારાત્મક અંશ છે, અને તેને જ તેઓ કાવ્યના આવશ્યક અશ ગણે છે, તે અંશ તે ડાલન. તેઓ કહે છે : ‘‘જગતભરની કાવ્યચર્ચામાં આજે તે એ રસસૂત્ર સČમાન્ય છે કે કાવ્યદેહનું કલેવર વિધાન Metre નહિ, Rhythm છે, છંદ નિહ ડાલન છે.’૧૭
મહાછન્દને આરે
સાચે જ મારી
એને છન્દ મેં ભાખ્યા
66
આના અર્થ સ્પષ્ટ કરવાની જરા જરૂર છે. આપણા પ્રાચીન કાવ્યશાસ્ત્રકારે એ પહેલેથી જ કહ્યું છે કે કાવ્ય પદ્યમાં પણ હાય, ગદ્યમાં પણ હાય. શાકુન્તલ સ`માન્ય દશ્યકાવ્ય છે. તેમાં ગદ્ય પણ છે પા પણ છે. હવે કવિશ્રી કડુ છે કે કાવ્યનું કલેવર ડાલન છે. એને એવા અ કરવા ખરા કે શાકુન્તલના ગદ્યમાં ડાલન છે, અથવા તે। શાકુન્તલના ગદ્યમાં ડૅાલન નથી માટે તે કાવ્ય નથી ? અને જો આ ખેમાંથી એક પણ અ ન કરવા, શાકુન્તલના ગદ્યને ગદ્ય જ ગણવું હોય અને તેને કાવ્ય પણ ગણુનું હાય, તેા કાવ્યદેહનું કલેવરવિધાન ડાલન છે' ત્યાં કાવ્યને શા અર્થ કરવા ?
જેમ સાહિત્ય શબ્દના બે અર્થી છે તેમજ કાવ્ય શબ્દના એ અર્થ છે, એક સામાન્ય અને બીજો વિશિષ્ટઃ વિશાલ અર્થાંમાં, સાહિત્યમાં ઇતિહાસ, ફિલસૂફી, અને વિજ્ઞાનનેા પણ સમાવેશ થાય છે. સાહિત્યના વિશિષ્ટ અર્થમાં તેમાં માત્ર સર્જનાત્મક કલ્પનાત્મક સાહિત્ય જ આવે. હવે સામાન્ય અર્થમાં સનમાત્ર કાવ્ય ગણાય. સરસ્વતીચંદ્ર મહાભારત કાદંબરી શાકુન્તલ રઘુવંશ સ કાવ્યા છે.
૧૬. અર્ધ શતાબ્દિના અનુભવ`ાલ, પૃ. ૫૪-૫૫
૧૭. સદર પૃ. ૨૮