Book Title: Arvachin Gujarati Kavya Sahitya
Author(s): Ramnarayan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 59
________________ અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય જેમકે “પણને “પણ” અને “પણ” બંને રીતે ઉચ્ચારવાની છૂટ હેવી જોઈએ. આવાં સ્થાન ઉપર કહેલા છૂટનાં નથી. પ્રો. ઠાકરને અભિપ્રાય એવો છે કે “પણ” નું વજન ગણવામાં તેને એક ગુરુ ગણ. એટલે અહીં ભાષાનું વજન પારખવાનો પ્રશ્ન છે, એક ગુરુના બે લઘુ કરવાને પ્રશ્ન નથી. આ વજન સંબંધી પણ એટલું કહેવું જોઈએ કે, જો કે અન્ય એ ઘણીવાર ઓછો ઉચ્ચારાય છે છતાં ઉપરના દાખલામાં ણ સ્વરહીન ણ કરતાં સ્વરસાહત ણ ને વધારે મળે છે. પણ કવિઓને ભાષામાં છૂટ લેવાને હક છે અને આ છૂટ બોલાતી ભાષા, જે કાવ્યનું ખરું ઉપાદાન છે, તેની એટલી નજીક છે કે તેને સુક્ષમ્ય ગણવી જોઈએ. પણ તે છૂટ જ છે. તેનો અતિ ઉપયોગ ત્યાજ્ય ગણાવો જોઈએ. અને એ છૂટ પણ સર્વત્ર શેભતી નથી. તત્સમોમાં છૂટ વધારે ખેંચે છે. છે. ઠાકરની શૈલીનું અત્યારે પુષ્કળ અનુકરણ થાય છે એટલે આ ભયસ્થાન તરફ ધ્યાન ખેંચવાની જરૂર જણાય છે. પણ મેં ઉપર કહી તે છૂટ બીજા પ્રકારની છે. તે નીચેના દાખલાની સરખામણીથી સમજાશે. શ્રી. બહાનાલાલના મેધદૂતમાંથી બે બે પંકિતઓ નીચે ટાંકુ છુ. પહેલી ૧૧ માં અને બીજી ૧૨. મા કમાથી છે – ને પૃથ્વીને ! ફલવતી કરે છત્રીપુ ખીલી, તે મને ગમતું !ગરજન સુણ હા, માને ઉડન્તા. ૧૧ લાંબા વિરહે! જનમી ઉરની કહાડી કહી વરાળા હતુ ત્રતુએ જે | પ્રીત પ્રગટત, તુજ સંચાગ પામે. ૧૨ મેં દંડથી પહેલી યતિ બનાવી છે. મંદાક્રાંતાના પ્રથમ ખંડમાં ચાર ગુરુ જોઈએ. તે સ્થાને “કાને ગમતું’ શબ્દો છે. તેમાં “ગમતું' ને બે ગુરુ ગણવા લષ્ટ છે. હવે ગુજરાતીમાં “ગમતું'તે ઉચ્ચાર લગભગ “ગમતું' જે થાય છે એટલે એ છૂટ નિવહ્ય ગણાય.

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120