________________
પુસ્તક ૩-જું
૨૭ જો કે આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ અષ્ટ મંગલના નામે ગણાવતાં દર્પણને પ્રથમ અષ્ટ મંગલમાં પ્રથમ ગણાવે છે. પરંતુ મૂલસૂત્રમાં ઘણે સ્થાને અષ્ટ મંગલને ગણાવતાં પ્રથમ સ્વસ્તિક નામના અષ્ટમંગલને ગણાવતાં પ્રથમ સ્વસ્તિક નામના અષ્ટમંગલને સ્થાન આપવામાં આવ્યું છે.
આ અષ્ટમંગલનું આકાર માત્રથી એટલું બધું ઉત્તમપણું જગતમાં વ્યાપક હતું કે જેને લીધે રાજા-મહારાજાઓ જ્યારે જ્યારે ભગવાન જિનેશ્વર મહારાજા વિગેરેને વંદન કરવા જતા હતા. ત્યારે ત્યારે તે અષ્ટમંગલના જુદા જુદા આલેખેને ધારણ કરનારાં પાટિયાં અગર તેવી રીતે કોતરીને બનાવેલા લેખેને લઈને અનેક પુરુષે ચાલતા હતા.
વૈમાનિક દેવતાઓમાં ઉત્પન્ન થયેલે સૂર્યાભદેવ કે જેની પૂજાની ભલામણ સૂત્રમાં સ્થાન સ્થાન ઉપર પૂજાના વિષયમાં કરાય છે, તે સૂયભદેવતાએ પણ પિતાના વિમાનમાં રહેલા સિદ્ધાયતનની અંદર રહેલી ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિની પૂજા કરતાં અષ્ટમંગલનું આલેખન કર્યું છે.
તિષ્ઠલેકની અંદર પણ વિજયદેવતાએ કરેલી ભગવાન જિનેશ્વર મહારાજની પૂજામાં પણ અષ્ટમંગલનું આલેખન કરેલું, એમ શ્રી જીવાભિગમ સૂત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે.
આ બધી હકીકત ઉપરથી આ વાત સ્પષ્ટ થશે કે જગતના સ્વભાવને લીધે સ્વસ્તિક આદિનું આલેખન મંગળરૂપ ગણવામાં આવ્યું છે.
આ કારણથી આચાર્ય મહારાજ શ્રી જિનભદ્ર ગણિક્ષમા શ્રમણુજી શ્રી વિશેષાવશ્યક ભાષ્યની અંદર સ્થાપના મંગલ તરીકે સ્વસ્તિક આદિ અષ્ટમંગલિકની સ્થાપનાને જણાવે છે.
એટલે હજારો વર્ષોથી અષ્ટમંગલની સ્થાપના મંગલરૂપ ગણાયેલી છે, એ માનવામાં કોઈપણ જાતની શંકાને સ્થાન નથી.