________________
૨૫
પુસ્તક ૩-જું આસે અને ચિત્રની નવપદજીની અઠ્ઠાઈઓ-શાશ્વતી છે, એમ શાસ્ત્રકારોએ ખુલલા શબ્દોમાં જણાવ્યું છે
આવી શાશ્વતી અને દેવતાઓને પણ આરાધવા લાયક એળીની અકૂઈને આરાધવામાં કયે મનુષ્ય કચાશ રાખે?
અન્ય પર્વે આરાધવામાં દેવ, ગુરુ કે ધર્મ એ ત્રણમાંથી કઈ કઈ એકની જ મુખ્યતા હોય છે, ત્યારે આ શ્રી સિદ્ધચક એટલે નવ પદજીની આરાધનામાં તે દેવ, ગુરુ અને ધર્મ ત્રણે તત્વની એકસરખી રીતે મુખ્યતા છે.
આ નવે પદમાં પણ એ જાણવા જેવી ખૂબી એ છે કે
પહેલું દેવતત્વ લીધું છે, અને તેના બે પદો છે. જ્યારે બીજું ગુરુતત્વ લઈ તેમાં આચાર્યાદિક ત્રણ પદો રાખ્યાં છે, અને ત્રીજું ધર્મતત્વ લઈ તેના સમ્યગ્દર્શનાદિ ચાર પદે રાખ્યાં છે.
એટલે પહેલાંના બે, બીજાના ત્રણ અને ત્રીજાના ચાર એમ મળી ત્રણે તત્વના નવપદે સ્થાનથી એક એક વૃદ્ધિવાળાં કરેલા છે. - ભગવાન અરિહંત વિગેરે નવ આરાધ્ય પદેને ચકના આકારે ગોઠવેલા હેવાથી તે નવપદના યંત્રની સ્થાપના ચક્રના આકારને ધારણ કરે છે, અને તેથી તેને સિદ્ધચક્ર કહેવાય છે.
એ નવપદજીના યંત્ર, મંડળ કે ગટ્ટામાં અરિહંત મહારાજને કર્ણિકાસ્થાને બિરાજેલા જેમ ગણાય છે, તેમ સ્થાપનાના આકારની અપેક્ષાએ જ્યારે ચક તરીકે કહેવામાં આવે ત્યારે ત્રિલોકનાથ તીર્થકરે તે નવપદ રૂપી ચક્રની નાભિને સ્થાને બિરાજમાન થએલા ગણાય.
આ ચક્ર ચાલતું નહિ પણ સ્થિર હોવાથી તે નવપદના ચક્રમાં સિદ્ધ મહારાજા જ ઉચ્ચ સ્થાને બિરાજમાન થએલા છે, અને તેથી આ યંત્રને સિદ્ધ મહારાજા બીજે સ્થાને છતાં પણ સૌથી ઉચ્ચ સ્થાને આવવાથી શ્રી સિદ્ધચકયંત્ર તરીકે જાણવું, માનવું કે જાહેર કરવું તે એગ્ય છે.