Book Title: Agam Jyot 1973 Varsh 08
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 280
________________ પુસ્તક ૩-જું ૦ સામાન્ય કે વિશેષ સાધુમહાત્માના સમાગમમાં આવવાવાળા મનુષ્ય જીવાદિક તત્વ અને દેવાદિક રત્નત્રયીને સમ્યગ્ર રીતે ઓળખનાર થઈ સમ્યગ્ધર્મને પામી શકે છે. ૦ સામાન્ય કે વિશેષ સાધુમહાત્માઓના સમાગમમાં આવનારા. મનુષ્ય સંસારનું આરંભ-પરિગ્રહમયપણું અને વિષય-કષાયમરાપણું સમજી તેને ભયંકર ગણી ચારિત્રરત્નને આદરવા તત્પર થાય છે. ૦ આરંભ-પરિગ્રહની આસિકતને લીધે કે બીજા કેઈ પણ કારણથી જે લેકે ચારિત્રને ગ્રહણ નથી કરી શકતા, તેઓ પણ સર્વથા પાપ છોડવારૂપી સાધુપણું જરૂરી છે, એમ માનવાપૂર્વક હિંસાદિક પાપની કંઈક કંઈક અંશે પણ વિરતિ કરનારા થાય છે, તે પણ સાધુ મહાત્માઓના થતા સમાગમને આભારી છે. ૦ જગતમાં જાહેર પ્રસિદ્ધ થયેલ જીવદયા, રાત્રિભોજનનો. પરિહાર, અનંતકાય અને અભક્ષ્યને ત્યાગ વિગેરે જેનપણાને સામાન્ય આચાર, છે, તેને પણ ૫રિચય સાધુમહાત્માઓના સમાગમથી થાય છે. ૦ સામાયિક, પૌષધ વિગેરે સાધુપણાના મહેલની નીસરણરૂપ ગણાતાં શિક્ષાત્રતે પણ ત્યાં આચરી શકાય છે અને રસમય બને છે કે જ્યારે સામાન્ય કે વિશેષ કઈ પણ સાધુ મહાત્માના સમાગમમાં અવાય. ૦ અનુકંપાદિક પાંચ દાનમાં ઉત્કૃષ્ટતમ તરીકે ગણાતા સુપાત્રદાનને આચરીને તેને લાભ મેળવવાને માટે શ્રાવક-શ્રાવિકા વર્ગ સાધુ મહાત્માઓના વિહારથી થતા સમાગમને લીધે ભાગ્યશાળી બને છે. . ૦ પૂજા, પ્રભાવના, સાધમિક વાત્સલ્ય અને વિનય, વૈયાવચ્ચે આદિનું સ્વરૂપ, તે કરવાથી થતા લાભ વિગેરે જાણી તેમાં તેમાં પ્રવૃત્તિ કરવાનું અહોભાગ્ય પણ સાધુ મહાત્માઓના વિહારથી થતા સમાગમને આભારી છે.

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326