SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જું ૦ સામાન્ય કે વિશેષ સાધુમહાત્માના સમાગમમાં આવવાવાળા મનુષ્ય જીવાદિક તત્વ અને દેવાદિક રત્નત્રયીને સમ્યગ્ર રીતે ઓળખનાર થઈ સમ્યગ્ધર્મને પામી શકે છે. ૦ સામાન્ય કે વિશેષ સાધુમહાત્માઓના સમાગમમાં આવનારા. મનુષ્ય સંસારનું આરંભ-પરિગ્રહમયપણું અને વિષય-કષાયમરાપણું સમજી તેને ભયંકર ગણી ચારિત્રરત્નને આદરવા તત્પર થાય છે. ૦ આરંભ-પરિગ્રહની આસિકતને લીધે કે બીજા કેઈ પણ કારણથી જે લેકે ચારિત્રને ગ્રહણ નથી કરી શકતા, તેઓ પણ સર્વથા પાપ છોડવારૂપી સાધુપણું જરૂરી છે, એમ માનવાપૂર્વક હિંસાદિક પાપની કંઈક કંઈક અંશે પણ વિરતિ કરનારા થાય છે, તે પણ સાધુ મહાત્માઓના થતા સમાગમને આભારી છે. ૦ જગતમાં જાહેર પ્રસિદ્ધ થયેલ જીવદયા, રાત્રિભોજનનો. પરિહાર, અનંતકાય અને અભક્ષ્યને ત્યાગ વિગેરે જેનપણાને સામાન્ય આચાર, છે, તેને પણ ૫રિચય સાધુમહાત્માઓના સમાગમથી થાય છે. ૦ સામાયિક, પૌષધ વિગેરે સાધુપણાના મહેલની નીસરણરૂપ ગણાતાં શિક્ષાત્રતે પણ ત્યાં આચરી શકાય છે અને રસમય બને છે કે જ્યારે સામાન્ય કે વિશેષ કઈ પણ સાધુ મહાત્માના સમાગમમાં અવાય. ૦ અનુકંપાદિક પાંચ દાનમાં ઉત્કૃષ્ટતમ તરીકે ગણાતા સુપાત્રદાનને આચરીને તેને લાભ મેળવવાને માટે શ્રાવક-શ્રાવિકા વર્ગ સાધુ મહાત્માઓના વિહારથી થતા સમાગમને લીધે ભાગ્યશાળી બને છે. . ૦ પૂજા, પ્રભાવના, સાધમિક વાત્સલ્ય અને વિનય, વૈયાવચ્ચે આદિનું સ્વરૂપ, તે કરવાથી થતા લાભ વિગેરે જાણી તેમાં તેમાં પ્રવૃત્તિ કરવાનું અહોભાગ્ય પણ સાધુ મહાત્માઓના વિહારથી થતા સમાગમને આભારી છે.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy