________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નેત્રરોગ. આંખે દુખવા આવે છે તે ઉપર લેપ-કપુર, હળદર, લેધર ફટકડી, લીંબુનાં બીજ, અફીણ, હીરાબોળ એ સર્વને લીંબુના રસમાં ખલ કરી લેપ કરે. લીંબુના રસમાં દાંતે લગાડવાની મસી, અશીણ એને તવા ઉપર ખલ કરી તે લેપ કરે, લોઢાને ચુરો અને મસી એકઠાં કરી લીંબુની ચીર ઉપર નાંખવા, અને પીળા લગડામાં પોટલી બાંધી તે આંખોમા ફેરવતા જવી, એટલે જે આંખમાં કણુ ફરે છે તે અને ચળ તથા રાતડ વગેરે સર્વે વિકાર દૂર થાય છે. સલ્ફટઆફઝીક એટલે જશતને ખાર પાણીમાં ઓગાળી તેની વડી મૂકવી એટલે ખીલ તથા રાતડ કમતી થાય છે. શર ભાગ, જસતનાં કુલ- ભાગ, કપુર ને ભાગ મોરથુથુ ફૂલાવેલું ૧ માસે, ધોળે કાળે ન ભાગ એ એષડો ગાયના માખણમાં ખલી તે ઉપર ભીલામાંના રસનાં આશરે ૧૦ અથવા બાર ટીપાં પાડવાં તાબાની કઠરેટમાં તાંબાના વાસણે કરી ઘુંટવું, એને વીશ તથા પચીશ પાણીએ ધોવું પછી ડબીમાં ભરી મુકવું તે નીત્ય રીતે આંખમાં નાખવું એટલે ખીલ તથા રાતડ, ચળ, અટકવું, વગેરે સર્વ વિકાર દૂર થાય છે. પરવાલા ઉપર રાતા પથરાની જહેને અહીરાઓની સંગાઠી કહે છે તે ફેરવી, હળદરનો ગાંગડે દાળમાં પકાવી તેના પાણીમાં અંજન કરવું એઠલે રતા, પરવાળાં, ધળું ફૂલું જાય છે, કઠણ પથરાના પહાણ ઉપર લટું ઘસી તે ચરે કપડછાણ કરે અને તે ખીલ ઉપર ચાળ. છોકરાની આંખોના ખીલ એથી જ સારા થાય છે,
ધુમાડાથી આખેને વીકાર થાય છે તેને-ગોળ અથવા રતી ખાંડ આંખમાં નાંખવી તેથી પાણી ટપકી આંખે સારી થાય છે.
આંખો મચમચી થઈ પાણી ટપકે તથા બળે છે તે ઉપર-હરડે, આમળાં તથા સાકર ઘસીને અંજન કરવું કીંવા ત્રિફલાનું અથવા ત્રિફલા ઘસી અંજન મહિનામાં ચાર પાંચ વખત હમેશાં કરતા જવું એટલે આંખને કદી પણ વીકાર થતો નથી તથા નજરની ઇંદ્રિી સાફ રહે છે,
એકલી બળતરા થાય છે અથવા તેજ ઓછથયું હોય તે-સવારે કાળી ગાયનું માખણ, સાકર, એલચીદાણું, જાવંત્રી, બદામનાં મીજ એખઠા કરી ખાવાં, એટલે આંખોની બળતરા શાંત થઈ તેજ આવે છે, ગુલાબ જળ, આંખમાં નાખતા જવું. શીશાની ભસ્મ, તથા સાકર, સ્ત્રીના દુધમાં મેળવી અંજન કરવું. આંખે ઊપર સારા એટલે મોતીઓ ઉતરે છે, તથા કુલ પડે છે, તથા ખીલ થાય છે, તે ઉપર જસતના કૂલ તથા સાકર સરખા ભાગે એકઠાં કરી તે પાઠાં પડતાં સુધી ખલી તે ઝીણું ચુર્ણ રાતે સુઈ રહેવા વખતે આંખમાં નાંખવું એટલે સર્વ વિકાર દૂર થાય છે, તેમાંહેના ખીલ ઊપર એરપુથુની
For Private and Personal Use Only