________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવલેહ.
૧૬૧ કંદભૂષણ અવલેહ–ળા કાંદા સારા લેઈ તેને આમળાની પેઠે ભેંકવા પછી જરા બાફ આપી લુગડાથી પુછવા, અને તે મધમાં નાખવા, પછી તે વાસણનુ મે બાંધી ચુલા ઉપર ટાંગી મુકકી ચાર મહીના થયા પછી કાઢી તેમાયેલો એક એક કાંદે સવારે ખાતા જ પથ્ય મધુર આહાર કર ચઉદ દિવસ એવી રીતે ખાવું તેથી વીર્યવૃદ્ધિ સારી થાય છે, શરીર પુષ્ટ થાય છે.
દ્રાક્ષાઅવલેહ–રાખ દુધમાં વાટી ધીમાં તળવી, પછી સાકરના પાકમાં નાખી ઉસ્માંડ અવલેહમાં જે સડો કહ્યા છે તે નાખી બરણીમાં ભરી મુક, એ ખાવાથી અમ્લપીત્ત, રક્તપીત્ત, ક્ષય, પાંડુ, કમળો, અશક્તપણું એ દુર થઈ શરીર પુષ્ટ થાય છે, તથા અગ્નિ પ્રદીપ્ત થાય છે,
કુષ્માંડ અવલેહ-પાકેલું કેળુ ખમણી તે ખમણનુ પાણી કપડાથી કાઢી નાખ, પછી સુકવી ઘીમાં રતાસઊપર આવે તહાંસુધી શેકવું પછી હેઠે ઊતારી તેમાં બદામ તળીને નાખવા, મા સેકી નાખો અને જાયફળ, લવીંગ, જાવંત્રી, એલચીદાડા, વંશલોચન, તજ, તમાલપત્ર, નાગકેશર, કમળકાકડી, એ એસડે ઝીણું કરી નાખવા, સરવ એસડથી ખમણું સાકર લેઈ કેહળાના પાણીમાં પાર્ક કરે, તેમાં કેશર નાખી ચાસણી કરવી અને સરવ એસડે નાખી હલાવી મુકવું, એ એસડમાંથી નીત્ય બે બે તોલા ખાવું તેથી અમ્લપીત્ત, બળતરા, ભ્રમ, સોસ, નબળાપણ, અગ્નિમંદ, દુર થઈ પુષ્ટી થાય છે.
આદા અવલેહ–પાશેર આદાની છાલ કાહાડી ખમણવું, પછી ઘીમાં સેકવું. ૧ શેર ગોળ અથવા સાકર નાખી પાક કરવો. તેમાં આદાનું ખમણ નાંખી તેમાં તજ તેલા ૨ એલચી ૨ જાવંત્રી ૨ નાગકેશર ર તવીંગ ર હીમજ ૨ ભારગમુળ ૨ અરડ ૨ લીંબડાની સાલ ૨ દેવદાર ૨ આસંદ ૨ જાયફળ ૨ અગર ૨ દરખ ૨ એ ઓસડ નાખી વાસણમાં ભરી મુકવું. એ ખાવાથી કાસ, વાસ, ક્ષય, મંદાગ્ની, છાતીને રોગ એની શાંતી થાય છે,
બીહીને મરો–બીહીના ફળે કાંપી તેહેની ચારે બાફવી પછી સાકરને પાક કરી તેમાં કેશર વગેરે મસાલે નાંખી તે ચીરે તેમાં નાંખી, એ મુરબે પીત્ત પર ઘણે સારે છે.
બીરાને મુરબે–એ મુરબે ઊપરની રીત પ્રમાણે કરવો, એ પણ પીતઊપર ઘણો ઉપયોગી છે.
યાતી-ભાંગના પાન ને શેર લેઈ લુગડામાં નાખી સારી રીતે ધોવા, પછી તેની પોટલી બાંધી ચાર શેર દુધમાં નાખવી, અને તે દુધ સારી રીતે કહી મેળવવું અને તે દહી વલોવી માખણ કાઢી ઘી કરવું પછી તે ઘીમાં બદામ ને શેર,
૨૧.
For Private and Personal Use Only