________________
२०५
क्षणभङ्गनिराकरणम् । વળી નાશના હેતુથી થતે પદાર્થને નાશ પદાર્થથી ભિન્ન હોય છે કે અભિન્ન ? જે નાશ અભિન્ન હોય તે-નાશના હેતુઓથી ભાવ કરાવે એમ કહે- ' વાશે. અને તે તે પિતાના કારણથી જ થયેલ હેઈ કૃતનું કરણ (કૃત એવા ભાવનું કરવું તે ઘટે નહિ તેથી તેના નાશના હેતુઓ વ્યર્થ છે. જે નાશ પદાર્થથી ભિન્ન હોય તે-પ્રશ્ન એ છે કે તે નાશ પદાર્થને સમકાલીન છે કે પદાર્થના ઉત્તરકાળમાં થનારો છે ? નાશ સમકાલીન હોય તે અત્યંત નેહશીલ બે ભાઈઓની જેમ ભાવ અને નાશ–અભાવને સમકાલે જ ઉપલક્ષ્મ-જ્ઞાન થશે, કારણ કે તે બન્નેમાં વિરોધ નથી. નાશ ઉત્તરાલમાં થતું હોય તે-તેમાં ઘટાદિ પદાર્થને શું કે જેથી કરીને આ ઘટાદિ પદાર્થ પિતાનું જ્ઞાન ન કરાવે અને પોતાની અર્થક્રિયા પણ ન કરે ? કારણ કે-તત્વાદિ કારણથી પટ ઉત્પન્ન થતું હોય ત્યારે પણ ઘટ પિતાનું જ્ઞાન કરાવે અને અર્થકિયા કરે તેમાં કઈ બાધક બની શકતું નથી.
જેન–પટ એ ઘટને વિરોધી નથી તેથી પટની ઉત્પત્તિ થાય તે પણ ઘટને નાશ–અભાવ થતો નથી, પરંતુ નાશ-અભાવ તે વિરોધી છે. તેથી જ્યારે નાશઉત્પન્ન થાય ત્યારે તે ઘટને અભાવ થ જોઈએ.
બૌદ્ધ--અભાવ તેને વિરોધી છે એટલે શું ? તે નાશક છે કે નાશ પિતે ? વિરોધી એ નાશક હોય તે-જેમ મુગરાદિ નાશને ઉત્પન્ન કરી ઘટાદિ પદાર્થનું ઉમૂલન કરે છે, તેમ આ વિધી અભાવ પણ નાશને ઉત્પન્ન કરીને પદાર્થનું ઉમૂલન કરશે. અને તેમ થતાં અભાવ દ્વારા ઉત્પન્ન થયેલ તે નાશ વિષે પણ-એ નાશ પદાર્થથી ભિન્ન છે કે અભિન્ન ? ઈત્યાદિ પ્રફને થશે અને તેથી અનવસ્થા દોષ આવશે વિરોધી એ નાશરૂપ હોય તે-અન્યથી પણ સમાનભાવે ભિન્ન છતાં તે નાશ ઘટનો જ છે, એ કઈ રીતે સિદ્ધ થશે ? અને એ નાશ બીજાને નથી એમ કેમ નહિ કહેવાય ?
જેન–ઘટના સંબંધી તરીકે કરવામાં આવતું હોવાથી તે નાશ ઘટને કહેવાય, પણ બીજાને નહિ.
બૌદ્ધત પ્રશ્ન છે કે-ઘટ અને નાશને કયો સંબંધ છે? શું તે કાર્યકારણે ભાવ છે, સંચાગ છે, વિશેષણભાવ છે કે અવિશ્વગુભાવ સંબંધ છે ? ઘટ અને નાશનો કાર્યકારણભાવ સબંધ તે નથી, કારણ કે-નાશ તે મુદગરાદિન કાય છે એમ સ્વીકારેલ છે. ઘટ અને નાશને સંયોગ સંબંધ છે એવું પણ નથી, કારણ કે-નાશ–અભાવ દ્રવ્યરૂપ નથી. વળી દ્રવ્ય અને અભાવને સંગ માનવામાં ઘટ અને તેને નાશ-અભાવ બનેને સમકાલીન માનવા પડશે. પણ પ્રસ્તુતમાં ઉત્તરકાલભાવી એ પક્ષ માનીને ચર્ચા છે. ઘટ અને અને નાશને સંબંધ-વિશેષણભાવ પણ નથી, કારણ કે-નાશને ભૂતલાદિન વિશેષણ તરીકે સ્વીકારેલ છે. અવિશ્વભાવ સંબંધ પણ સર્વથા અભેદરપ છે કે કથંચિત્ અભેદરૂપ છે ? પહેલે વિક૯૫ તે કહી શકશે નહિ કારણ કે ઘટાદિ પદાર્થથી તેને નાશ ભિન્ન છે એ પક્ષ તમે સ્વીકાર્યો છે.