________________
૧૪૮
પ્રીત કિયે દુઃખ હેય” વાને એ જવાબ આપ્યો, “કોઈ કવિ તો તે લટને મિનરવા* દેવીએ કાંતેલા સોનાના તાર કહીને વર્ણવે; પણ મારે મતે તે તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પીળા છે – વસંત ઋતુના ખુશનુમા દિવસના સૂર્યાસ્ત વખતનાં કિરણ જેવા રંગના.”
“વાહ, તું તે પોતે જ કવિ હોય એમ લાગે છે,” રાણી હસતાં હસતાં બોલી; “પણ તું રૂપકની જે ભાષા વાપરે છે, તે પકડી શકે તેવી મારી બુદ્ધિશક્તિ ઝડપી નથી – તો અહીં આસપાસ ઊભેલી બાનુઓ સામે જો – અહીં આટલામાં કોઈ સ્ત્રીના વાળ એ લટના વાળની તોલે આવે એવા તને લાગે છે? જેથી હું પણ જાણી શકું કે મિનરવાએ કાંતેલા સેનાના તાર જેવા, કે વસંતના સૂર્યાસ્ત સમયનાં કિરણ જેવા વાળ કોને કહેવાય?”
વાને એક પછી એક બધી બાનુઓ તરફ નજર કરી લઈને છેવટે રાણીજી ઉપર જ નજર કરીને બોલ્યો, “અહીં તો કોઈ બાનુના વાળ એવા દેખાતા નથી, સિવાય કે જ્યાં નજર કરવાની મારાથી હિંમત ન થઈ શકે.”
શું મૂરખરાજ, તું એમ કહેવાની હિંમત કરે છે – ”
“ના, ના, ક્ષમા કરો કૃપાવંત,” વાને આંખ ઉપર હાથની છ જલી કરતાં બોલ્યો; “વસંત-સૂર્યના પ્રતાપથી મારી આંખો અંજાઈ ગઈ છે.”
“જા, જા, તું તો ખાસ મૂરખ છે, વળી,” એટલું કહી રાણી ઉતાવળે લિસેસ્ટર તરફ પહોંચી ગઈ. પણ આ દરમ્યાન જુદા જુદા દરબારીઓ ઉપર ભયનું અને આશા એમ બેવડું વાતાવરણ ઘેરાઈ રહ્યું હતું. વાને અને રાણીની વાતચીત દરમ્યાન તેમની ચેષ્ટાઓ અને માં ઉપરના ફેરફારો ઉપરથી જુદા જુદા માણસો જુદી જુદી કલ્પના કરવા લાગ્યા હતા. લિસેસ્ટર પોતે પણ, ચારે બાજુ દરબારીઓને તેની ઉન્નતિ કે પડતીની સંભાવના કે બીક રાખતા જોઈને, તેમનો ચેપ લાગતાં, પોતાના પ્રેમને વફાદાર રહેવાની વાત ભૂલી, વાર્નેની વફાદારી અને રાણીની મનસ્વિતા પોતાના ભાગ્યનો શો ફેંસલો લાવે છે તે જાણવા ઉત્સુક થઈ ગયો. ધીમે ધીમે રાણીની ચેષ્ટા ઉપરથી તેને લાગવા માંડ્યું કે, વાને જે કંઈ કહે છે તેથી બાજી તેની તરફેણમાં વળતી જાય છે. અને થોડી વારમાં રાણીએ પોતે તેની નજીક આવી તેની એ બાબતની શંકા ટાળી દીધી. તેણે બધાંના સાંભળતાં કહ્યું, “લૉર્ડ, આ તમારો નોકર બહુ બોલકો છે; એટલું સારું છે કે, તમે તેને એવી ખાનગી
આ ડહાપણ અને કળાકારીગરીની દેવી. - સપાટ