Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પ૦
શ્રી પૂજા સંગ્રહ સાથે નૃત્યંતિ નૃત્ય મણિપુષ્પવર્ષ, - સૃજંતિ ગાયંતિ ચ મંગલાનિ; સ્તોત્રાણિ ગોત્રાણિ પશ્ચંતિ મંત્રાનું,
કલ્યાણભાજો હિ જિનાભિષેકે. ૧. શિવમસ્તુ સર્વજગતઃ, પરહિતનિરતા ભવંતુ ભૂતગણા; દોષાઃ પ્રયાંતુ નાશ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ ૨. અહં તિસ્થયરમાયા, સિવાદેવી તુણ્ડ નયરનિવાસિની; અહ સિવં તુમ્હ સિવું, અસિવોવસમં સિવં ભવતુ સ્વાહા. ૩. ઉપસર્ગા ક્ષય યાંતિ, છિદ્યત્તે વિદનવલ્લય; મનઃ પ્રસન્નતામતિ, પૂજ્યમાને જિનેશ્વરે. ૪.
પુણ્યશાલીઓ જિનેશ્વરની સ્નાત્રક્રિયા પ્રસંગે વિવિધ પ્રકારનાં નૃત્યો કરે છે, રત્ન અને પુષ્પની વર્ષા કરે છે, અષ્ટમંગલોનું આલેખન કરે છે અને માંગલિક સ્તોત્રો ગાય છે. અને તીર્થંકરના વંશના ગોત્રો-નામો તથા મંત્રો બોલે છે. ૧.
સમગ્ર વિશ્વનું કલ્યાણ થાઓ. પ્રાણીઓ પરોપકારમાં તત્પર બનો. દોષો નાશ પામો. અને સર્વત્ર લોક સુખી થાઓ. ૨.
હું નેમિનાથ તીર્થકરની માતા શિવાદેવી તમારા નગરમાં નિવાસ કરનારી છું. તેથી અમારું અને તમારું કલ્યાણ થાઓ. ઉપદ્રવોનો નાશ થાઓ અને કલ્યાણ થાઓ. સ્વાહા. ૩.
શ્રી જિનેશ્વર ભગવંતનું પૂજન કરતાં સમસ્ત પ્રકારના ઉપદ્રવો નાશ પામે છે. વિનરૂપી વેલીઓ છેદાઈ જાય છે. અને મન પ્રસન્નતાને પામે છે. ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org