Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પૂ. શ્રી વીરવિજયજી કૃત અંતરાયકર્મ નિવારણની પૂજા
પ્રથમ જળપૂજા
દુહા શ્રી શંખેશ્વર શિર ધરી, પ્રણમી શ્રી ગુરુપાય, વંછિતપદ વરવા ભણી, ટાળીશું અંતરાય. ૧. જિમ રાજા રીજ્યો થકો, દેતાં દાન અપાર, ભંડારી ખીજ્યો થકો, વારં તો તેણી વાર. ૨. તિમ એ કર્મ ઉદય થકી, સંસારી કહેવાય, ધર્મ કર્મ સાધન જાણી, વિઘન કરે અંતરાય. ૩. અરિહાને અવલંબીને, તરીયે ઇણ સંસાર , અંતરાય ઉચ્છેદવા, પૂજા અષ્ટ પ્રકાર. ૪.
દુહાનો અર્થ - શ્રી શંખેશ્વર પ્રભુને ચરણે મસ્તક નમાવી, શ્રી ગુરુભગવંતના ચરણમાં પ્રણામ કરી, વાંછિત પદ મેળવવા અંતરાયકર્મને ટાળશું. ૧.
જેમ રાજા ખુશ થયો થકો પુષ્કળ દાન આપવા ભંડારીને હુકમ કરે, પણ જો ભંડારી ખીલેલો હોય તો અટકાવે છે, તેમ આ અંતરાયકર્મના ઉદયથી જીવ સંસારી કહેવાય છે. ધર્મ-કર્મના સાધનોમાં આ અંતરાયકર્મ વિઘ કરે છે. ૨-૩
અરિહંત પરમાત્માના આલંબનથી આ સંસાર તરી શકાય છે. તેથી અંતરાયકર્મનો ઉચ્છેદ કરવા પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરીએ.૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org