Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૯૧
પીસ્તાલીશ આગમની પૂજા
અંધા લુલા પાંગુલા પિંડ રોગી, જગ્યાને માતવિયોગી; સંતાપ ઘણો ને શોગી, યોગી અવતાર. આ૦ ૩ મુંગા ને વળી બોબડા ધનહીના, પ્રિયા પુત્ર વિયોગે લીના; મૂરખ અવિવે કે ભીના, જાણે રણનું રોઝ. આ૦ ૪ જ્ઞાનતણી આશાતના કરી દૂરે, જિનભક્તિ કરો ભરપૂરે; રહો શ્રી શુભવીર હજીરે, સુખમાંહે મગન. આ૦ ૫
કાવ્ય તથા મંત્ર અનશને તુ મમાસ્વિતિ બુદ્ધિના, રુચિરભોજનસંચિતભોજન પ્રતિદિન વિધિના જિનમંદિરે, શુભમતે બત ઢૌકય ચેતસા. ૧.
જ્ઞાનના વિરાધક જીવો મુંગા, બોબડા અને નિર્ધન થાય છે. સ્ત્રી અને પુત્રના વિયોગવાળા થાય છે. મૂર્ણપણું પામે છે, અવિવેકી થાય છે; જાણે રણમાં ફરતું રોઝ હોય તેમ ભાન વગરના થાય છે. ૨-૩-૪
જ્ઞાનની આશાતના દૂર કરી ભરપૂર રીતે શ્રી જિનેશ્વરની ભક્તિ કરો, શ્રી શુભવીર પરમાત્માની હજારમાં-મોક્ષમાં અનંતસુખમાં મગ્ન થઈને રહો. ૫
કાવ્યનો અર્થ - મને અણાહારી પદ પ્રાપ્ત થાઓ એ પ્રમાણે બુદ્ધિ વડેન્યાયદ્રવ્ય વડે બનાવેલ ભોજનને હંમેશાં વિધિપૂર્વક જિનમંદિરને વિષે હે શુભમતિ ! તું શુદ્ધ ચિત્તથી મૂક. ૧.
કુમતના બોધનો વિરોધ જણાવનાર, જન્મ-જરા-મરણનો નાશ કરનાર એવા સમસ્ત અશનીવડે-નૈવેદ્યોવડે ઘણા આત્મ ગુણ સ્થાનરૂપ સિદ્ધના સ્વાભાવિક તેજને-જ્ઞાનમય સિદ્ધ ભગવંતોને હું પૂજાં છું. ૨
મંત્રનો અર્થ - પ્રથમ પૂજા પ્રમાણે જાણવો તેમાં એટલું ફેરવવું કે-અમે નૈવેદ્યવડે પૂજા કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org