Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 290
________________ પીસ્તાલીશ આગમની પૂજા બીજાં શ્રુત નંદી વંદી, સુણતાં દિલ હોય આનંદી; સવિ સૂત્ર તણો સરવાયો, જલ્પે ત્રિશલાનો જાયો રે. શ્રુ૦ ૩. મતિ આદિ પંચ પ્રકાર, ભાખ્યા છે જ્ઞાન અધિકાર; બહુલાં દૃષ્ટાંત દેખાવી, શુભવીરે રીત ઓળખાવી રે. શ્રુ૦ ૪. દુહો એ પીસ્તાલીશ વરણવ્યા, આગમ જિનમતમાંહી; મનુષ્યજન્મ પામી કરી, ભક્તિ કરો ઉચ્છાંહી. ૧. ૨૮૯ છે. તેમાં નિક્ષેપોની રચના પણ બહુ સારી રીતે કરી છે. તે ગીતાર્થ ગુરુઓના વચને તેમની પાસે સાંભળીને સમજીને ધારવા લાયક છે. ૨ બીજું સુત્ર નંદીસૂત્ર છે. તેને વંદના કરીએ. તે સૂત્ર સાંભળવાથી દિલમાં આનંદ થાય છે. આ સૂત્ર સર્વ સૂત્રનો સરવાળો છે- સ૨વૈયું છે. એમ ત્રિશલામાતાના પુત્ર શ્રી વીર પરમાત્મા કહે છે. આ નંદીસૂત્રમાં મતિજ્ઞાન આદિ પાંચેય જ્ઞાનનો અધિકાર વિસ્તારથી આપેલો છે. ઔત્પાતિકી આદિ બુદ્ધિ ઉપર અનેક દૃષ્ટાંતો આપી શુભવીર પરમાત્માએ જ્ઞાનની રીત ઓળખાવી છે. ૩-૪ શ્રી જિનેશ્વરના દર્શનમાં આ રીતે પીસ્તાળીશ આગમો વર્ણવ્યા છે. હે ભવ્યાત્માઓ ! મનુષ્યજન્મ પામીને તે આગમોની ભક્તિ ઉત્સાહપૂર્વક કરો. ૧. ૧. પીસ્તાલીશ આગમોનાં નામ નીચે પ્રમાણે છે ૧૧-અંગ : ૧. આચારાંગ, ૨ સૂત્રકૃતાંગ, ૩ ઠાણાંગ, ૪ સમવાયાંગ, પ વિવાહપ્રજ્ઞપ્તિ, ૬ જ્ઞાતાધર્મકથા, ૭ ઉપાસકદશાંગ, ૮ અંતકૃશાંગ, ૯ અનુત્તરૌપપાતિકદશાંગ, ૧૦ પ્રશ્નવ્યાકરણ, ૧૧ વિપાકસૂત્ર. ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308