Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 296
________________ પીસ્તાલીશ આગમની પૂજા નિશ્ચયનયવાદી એમ બોલે; વ્યવહારે સમયાંતર લાવે. નિત૦ ૨ અગુરુલઘુ અવગાહનારૂપે, એક અવગાહે અનંત વસાવે; નિત૦ ફરસિત દેશ પ્રદેશ અસંખા, સુંદર જ્યોતસે જ્યોત મિલાવે, નિત૦ ૩. આધિ વ્યાધિ વિઘટી ભવ કેરી, ગર્ભાવાસતણાં દુઃખ નાવે; નિત૦ એક પ્રદેશમાં સુખ અનંતું, Jain Education International તે પણ લોકાકાશે ન માવે. નિત૦ ૪. નિશ્ચયનયવાદી કહે છે. વ્યવહાર નયવાળા સમયાંતર એટલે આ ભવના ચરમ સમયની પછીના સમયે આત્મા સિદ્ધિસ્થાનમાં પહોંચે છે તેમ કહે છે. ર ૨૯૫ સિદ્ધ પરમાત્માની અગુરુલઘુ અવગાહના હોય છે. એક સરખી અવગાહનામાં અનંત સિદ્ધાત્માઓ ત્યાં વસેલા છે. ત્યાં દેશ-પ્રદેશને અવગાહીને રહેલા બીજા તે કરતાં પણ અસંખ્યગુણા અનંત જીવો રહેલા છે. તેઓની અવગાહના જેમ એક દીપકની જ્યોતમાં બીજા દીપકની જ્યોત મળી જાય છે-તેમ મળો જાય છે. સિદ્ધજીવોને સંસારની આધિ-વ્યાધિ સર્વ નાશ પામી છે. તેઓને ગર્ભાવાસના દુ:ખ આવતા નથી. તેઓના એક એક આત્મપ્રદેશે અનંતું સુખ હોય છે જે સમગ્ર લોકાકાશમાં પણ સમાઇ શકતું નથી. ૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308